- અમે દેશના સંરક્ષણને વધુ અસરકારક બનાવી: વિદેશ મંત્રી
- “વિશ્વાસ રાખો, ઉરી અને બાલાકોટ કાર્યવાહીએ સંદેશ આપી દીધો છે.”
- JNU ખાતે ‘ભારત અને વિશ્વ’ વિષય પર કાર્યક્રમમાં બોલ્યા વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે 26 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સુરક્ષાને એક જટિલ ગણિત ગણાવતા એલએસી પર ચીનની ઘૂસણખોરી અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે પાકિસ્તાનને ભારતના જવાબ તરીકે ઉરી અને બાલાકોટ મિશનનો ઉલ્લેખ કર્યો. વિદેશ મંત્રી જયશંકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ‘ભારત અને વિશ્વ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
ભારતે 2016માં કાશ્મીરના ઉરીમાં આર્મી બેઝ કેમ્પ પર કરવામાં આવેલ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આવેલ આતંકવાદીઓના ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તો, પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં પાકિસ્તાની આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો, જેમાં 40 થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.
અમે દેશના સંરક્ષણને વધુ પ્રભાવી બનાવી
આ કાર્યક્રમને સંબોધતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, “રાષ્ટ્રીય સુરક્ષાની ગણતરીઓ વધુ જટિલ બની ગઈ છે…” તેમણે કહ્યું કે ભારતે સરહદી માળખાના વિકાસ પર કામ કર્યું છે. તેમણે કહ્યું કે આના એક પાસાની લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવી રહી હતી.
વિદેશ મંત્રી કહ્યું, “જ્યારે અમને LAC સાથે ચીન સાથે પડકારવામાં આવ્યા, ત્યારે કોરોના કાળ દરમિયાન ઝડપી અને અસરકારક કાઉન્ટર-ડિપ્લોયમેન્ટ એ યોગ્ય જવાબ હતો. સરહદ પર લાંબા સમયથી ઉપેક્ષિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેમણે કહ્યું, “અમે દેશના સંરક્ષણને વધુ અસરકારક બનાવ્યું છે.”
ઉરી અને બાલાકોટ પર શું બોલ્યા વિદેશ મંત્રી?
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ઉરી અને બાલાકોટની ઘટનાઓમાં સીમા પારના આતંકવાદ સામે ભારતની પ્રતિક્રિયા જોવા મળી હતી. વિદેશ મંત્રીએ કહ્યું, “પશ્ચિમ મોરચે સીમા પાર આતંકવાદના લાંબા સમયથી ચાલી રહેલા પડકારને હવે વધુ યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.” તેમણે કહ્યું, “મારા પર વિશ્વાસ કરો, ઉરી અને બાલાકોટે તેમનો સંદેશ મોકલ્યો છે.” વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત સવાલોના જવાબ આપવામાં શરમાશે નહીં, પરંતુ તે સવાલ પૂછનારાઓને સવાલ કરવાની હિંમત પણ ધરાવે છે.


