- MPમાં વિકસિત ભારત વિકસિત મધ્ય પ્રદેશ
- પીએમ મોદી વર્ચ્યુલી રહ્યા હાજર
- વૈદિક ઘડીયાળ સહિત 17000 કરોડના વિકાસના કાર્યોનો શિલાન્યાંસ- ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત વિકસિત મધ્ય પ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મધ્યપ્રદેશમાં રૂ. 17 હજાર કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ રાષ્ટ્રને સમર્પિત કરી.. જેમાં સિંચાઈ, વીજળી, રસ્તા, રેલવે, પાણી પુરવઠો, કોલસો, ઉદ્યોગ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
વૈદિક ઘડીયાળનું કર્યુ ઉદ્ઘાટન
પીએમ મોદીએ રાજ્યમાં સરકારી સેવાઓની ડિલિવરી સુધારવા માટે રિમોટનું બટન દબાવીને મધ્યપ્રદેશમાં સાયબર તહેસીલ પ્રોજેક્ટ અને ઉજ્જૈનમાં ફરીથી સ્થાપિત કરવામાં આવી રહેલી
વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની શરૂઆત કરી. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને 29 લોકસભા અને 230 વિધાનસભા મતવિસ્તારના જનપ્રતિનિધિઓએ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ડીંડોલી અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ- પીએમ મોદી
પીએમ મોદી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા પહેલા ડિંડોરી માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું આ અકસ્માતમાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. સરકાર ઘાયલ થયેલા લોકોની સારવારની વ્યવસ્થા કરી રહી છે.
ભારતને વિકસિત બનાવશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં 9 દિવસનો વિક્રમોત્સવ શરૂ થવાનો છે. આ આપણો ગૌરવશાળી વારસો અને વર્તમાન ઉત્સવ છે. આપણી સરકાર વિરાસત અને વિકાસને કેવી રીતે સાથે લાવીને ચાલે છે તેનું પ્રમાણ ઉજ્જૈનમાં લગાવેલી વૈદિક ઘડીયાળ છે. જે ભારતને વિકસિત બનાવશે.
અબકી બાર 400 પાર, ભાજપનો નહી જનતાનો નારો- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે પહેલીવાર એવુ થયુ છે કે જનતાએ પોતાની પ્રિય સરકાર ફરીથી આવે તે માટે આ નારો બુલંદ કર્યો છે. અબકી બાર 400 પાર આ નારો બીજેપીનો નહી પરંતુ દેશની જનતા જનાર્દને આપેલો છે. મોદીની ગેરંટી પર દેશનો વિશ્વાસ ભાવ વિભાર કરી દેનારો છે. હવે ત્રીજીવાર મહાશક્તિ બનાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છીએ.


