- 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- તમામ જિલ્લા કલેક્ટરો અધિકારીઓ સાથે બેઠક થઈ
- સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે વાલીઓને અપીલ
રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાની માટે રાજ્ય શિક્ષણ બોર્ડે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આગામી દિવસોમાં શરૂ થનાર પરીક્ષામાં 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના તમામ જિલ્લા ક્લકેટરો, વિદ્યુત કંપનીઓ અધિકારીઓ સાથે બેઠક કરી છે, જેમને તમામ બાબતો અંગે સૂચના આપવામાં આવી છે.
આ અગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 માં 9.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 20 હજાર થી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે જ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેલમાં પણ યોજાશે પરીક્ષા
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 84 ઝોન ના 981 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. આ ઉપરાંત અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ના બંદીવાન પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ રાજ્યની જેલમાં બંધ 73 વિદ્યાર્થીઓ ધોરણ 10 માં 57 વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા આપશે.
અફવા ન ફેલાય તેના માટે વાલીઓને સૂચના
આ સાથે જ શિક્ષણ વિભાગે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાટા એપ્લિકેશન ઉપયોગ થાય છે. પ્રશ્નપત્ર શાળા સુધી પહોંચે ત્યાં સુધી સર્વેલન્સ થાય છે. જેમાં સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે વાલીઓને અપીલ પણ કરવામાં આવી રહી છે. તમામ વર્ગખંડો માં સીસીટીવી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ પણ વિદ્યાર્થીઓને 100 નંબર ડાયલ કરશે તો મદદ કરશે તેવી પણ પોલીસ વિભાગે સુચના આપવામાં આવી છે. જેના માટે પોલીસ વિભાગ સાથે બેઠકો કરવામાં આવી છે.


