- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ
- સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 3-1થી સરસાઈ મેળવી
- ધર્મશાળા ટેસ્ટમાં રજત પાટીદારનું પત્તુ કપાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝ ભારતીય ટીમે જીતી લીધી છે. ભારતે અત્યાર સુધી રમાયેલી 4માંથી 3 મેચ જીતીને સીરિઝ પર કબજો કર્યો છે. ભારતને સીરિઝની પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ રોહિતની સેનાએ જબરદસ્ત વાપસી કરી અને જીતની હેટ્રિક લગાવી હતી. પરંતુ તેમ છતાં રોહિત શર્મા ધર્મશાળા ટેસ્ટ પહેલા મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. કેપ્ટન આગામી ટેસ્ટમાંથી બે ખેલાડીઓને હટાવવા જઈ રહ્યો છે. જાણો કયા બે ખેલાડીઓનું આગામી મેચમાંથી બહાર થવું નિશ્ચિત છે.
રોહિત શર્મા કોઈ જોખમ લેવા માંગતો નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળા ટેસ્ટ મેચ 7 માર્ચથી 11 માર્ચ સુધી રમાશે. આ મેચને લઈને ભારતીય ટીમ પર વધારે દબાણ નહીં હોય, કારણ કે ટીમ ઈન્ડિયા પહેલા જ સીરિઝ જીતી ચૂકી છે. પરંતુ WTC પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા માટે ભારત માટે આ મેચ જીતવી ખુબ જ જરૂરી છે. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડની સ્થિતિ પણ ઘણી ખરાબ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ પણ આ મેચ જીતવા માટે પૂરા પ્રયાસો કરવા જઈ રહ્યું છે, આ કારણથી રોહિત શર્મા ધર્મશાળા ટેસ્ટ દરમિયાન કોઈ જોખમ લેવા માંગતો નથી.
આ ખેલાડીનું પત્તુ કપાશે
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આ ખેલાડી શાનદાર ફોર્મમાં છે, પરંતુ લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલો હોવા છતાં તેને ચોથી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેથી ખેલાડીની ફિટનેસ જાળવી શકાય. હવે જસપ્રીત બુમરાહ ધર્મશાળા ટેસ્ટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, બુમરાહના આગમન સાથે, એક ખેલાડીને ટીમમાંથી દૂર કરવામાં આવશે. એવી અટકળો ચાલી રહી છે કે બુમરાહના પરત ફર્યા બાદ મોહમ્મદ સિરાજને ફરી એક વખત બહાર કરવામાં આવી શકે છે. આકાશ દીપ સારા ફોર્મમાં છે, તેણે ચોથી ટેસ્ટ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેથી આકાશને બહાર કરવામાં આવશે નહીં.
રજત પાટીદાર ટીમને નિરાશ કરી
ભારતના યુવા ખેલાડી રજત પાટીદારને સળંગ 3 ટેસ્ટ મેચ રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ તે ખેલાડી કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આ ખેલાડીએ ત્રણ મેચમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી. તે 3 ટેસ્ટ મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 63 રન જ બનાવી શક્યો છે. તેને ચોથી ટેસ્ટ મેચમાંથી જ બહાર કરી શકાયો હોત, પરંતુ રોહિત શર્મા તેને બીજી તક આપવા માંગતો હતો. આવી સ્થિતિમાં આ ખેલાડીનું ધર્મશાળા ટેસ્ટમાંથી બહાર થવું નિશ્ચિત માનવામાં આવે છે. તેમના સ્થાને દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરવામાં આવશે. તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેને રમવાની તક મળી નથી. પરંતુ ધર્મશાળા ટેસ્ટમાં પડિક્કલનો સમાવેશ નિશ્ચિત માનવામાં આવે છે.


