By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    19 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અગાઉ આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી: PM Modi
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અગાઉ આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી: PM Modi

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:00 PM
2 years ago
Share
અગાઉ આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી: PM Modi
SHARE

  • ગાંધી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ
  • આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમનું આયોજન
  • રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમનો પુનઃવિકાસ કરાશે

સાબરમતી આશ્રમ ખાતે PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે બાપુની પ્રેરણાનો આપણી અંદર અનુભવ કરી શકીએ. બાપુના મુલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સજીવ છે. ગાંધી આશ્રમના પુનઃ વિકાસનું ઉદ્ઘાટન કરવું મારું સૌભાગ્ય છે. બાપુના પહેલા આશ્રમ કોચરબ આશ્રમનું પણ લોકાર્પણ કર્યું છે. દ. આફ્રિકા બાદ ગાંધીજીનો પહેલો આશ્રમ કોચરબ આશ્રમ છે. ગાંધીજી બે વર્ષ સુધી કોચરબ આશ્રમમાં રહ્યા હતા. તેમજ ગાંધીજી ત્યારબાદ સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતા.

આઝાદી બાદ આ આશ્રમ ઘટી ઘટી માત્ર 5 એકરમાં રહ્યો

હું બાપુનાં ચરણમાં નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છુ. આજે 12 માર્ચની ઐતિહાસિક તારીખ છે. આજના દિવસે બાપુએ દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. 12 માર્ચ 2022એ અમૃત મહોત્સવની અહીંથી શરૂઆત કરી હતી. અમૃત મહોત્સવે દેશમાં જન ભાગીદારીનું વાતાવરણ બનાવ્યુ છે. આઝાદી પહેલા દેખાયું હતું એવું વાતાવરણ જોવા મળ્યુ છે. દેશમાં 2 લાખથી વધારે અમૃત વાટિકાઓનું નિર્માણ થયુ છે. 2 કરોડથી વધારે વૃક્ષો લગાવી તેના વિકાસની સંભાળ રખાઇ છે. 70 હજારથી વધારે અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે. હર ઘર તિરંગા અભિયાન એક ખૂબ સફળ અભિયાન તથા મેરી માટી મેરા દેશથી દેશના બલિદાનીઓને શ્રદ્ધાંજલિ અપાઇ છે. સાબરમતી આશ્રમ વિકસિત ભારતના સંકલ્પનું પણ તિર્થ છે. પોતાની વિરાસત ન સાચવે તે દેશ ભવિષ્ય પણ ગુમાવી દે. આઝાદી બાદ આ ધરોહરની સાથે પણ ન્યાય ન થયો. આઝાદી બાદ આ આશ્રમ ઘટી ઘટી માત્ર 5 એકરમાં રહ્યો છે. આશ્રમમાં 63માંથી માત્ર 36 મકાનો બચ્યા છે.

આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી

આ વિરાસતને સાચવવી 140 કરોડ ભારતીયોની જવાબદારી છે. આશ્રમના રહેનારા પરિવારોનો ખૂબ મોટો સહયોગ છે. આ પરિવારોના સહયોગથી જ આશ્રમની જમીન મળી શકે છે. આશ્રમની ઇમારતોને તેના મૂળ સ્વરૂપે સાચવવાનો પ્રયાસ છે. જરૂર પડે તે જ મકાનોને નવેસરથી બનાવાશે. આ આશ્રમ દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અગાઉ સરકારોમાં આવી વિરાસતને બચાવવાનો વિચાર નહોતો. અગાઉની સરકારોમાં રાજકીય ઇચ્છાશક્તિ પણ નહોતી. આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી. વારાણસીનો સાંસદ છું, વિરાસતોને જોતો આવ્યો છુ. અયોધ્યામાં પણ રામમંદિર બનાવ્યુ છે. 

મને ત્રીજી ટર્મમાં ફરી એકવાર આશ્રમના લોકાર્પણની તક મળશે

ગુજરાતે હંમેશા પોતાની વિરાસતો સાચવીને રાખી છે. ગુજરાતે હંમેશા વિરાસતો સાચવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્મારકોને સાચવીને વિકાસને આગળ વધાર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. વોકલ ફોર લોકલ એ ગાંધીજીની સ્વદેશીની ભાવના છે. આત્મનિર્ભર ભારત પણ ગાંધીજીની કલ્પના હતી. ગુજરાતના 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવા પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઇ રહી છે. ગુજરાતમાં 3 લાખ મેટ્રિક ટન યુરિયાનો વપરાશ ઘટ્યો છે. ગામ, ગરીબનો વિકાસ અમારી સરકારનો મંત્ર છે. અમદાવાદના બાળકો સાબરમતી આશ્રમ આવી સમય વિતાવશે. બાળકો અહીં આવી ઇતિહાસ નજરે જોઇ શકશે. દેશવાસીઓને આ નવા વિકાસકાર્યને સમર્પિત કરું છુ. ઘણાં સમયથી આ કામ પાછળ લાગેલો હતો. કોર્ટમાં પણ બહુ સમય વીત્યો મારો તેમજ ત્યારની કેન્દ્ર સરકાર પણ તેમાં અડચણો ઉભી કરતી હતી. ઝડપથી આ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરાશે. મને ત્રીજી ટર્મમાં ફરી એકવાર આશ્રમના લોકાર્પણની તક મળશે. 

આશ્રમવાસીઓ અને ટ્રસ્ટીઓના સહયોગ બદલ આભાર: CM ભૂપેન્દ્ર પેટેલ

આશ્રમના પુનઃ વિકાસ ઉદ્ઘાટન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પેટેલે સંબોધન આપ્યુ છે. જેમાં જણાવ્યું છે કે ગાંધી આશ્રમનો પુનઃ વિકાસ થવાનો છે એ ગર્વની વાત છે. ભારતની આઝાદીના સંગ્રામનું કેન્દ્રબિંદુ આ આશ્રમ રહ્યો છે. જન આંદોલનના અનેક નિર્ણય આ આશ્રમથી જ લેવાતા હતા. આઝાદીના સ્વપ્નને સાકાર કરવામાં આશ્રમની ભૂમિકા છે. મૂળ આશ્રમ 5 એકરમાં ફેલાયેલો છે. આ આશ્રમને માત્ર ગાંધી મેમોરિયલ નથી બનાવવાનુ. ગાંધીજીના વિચારોને વિશ્વમાં ફેલાવવાનું માધ્યમ આશ્રમ બનશે. આશ્રમના પુનઃ વિકાસ માટે કેન્દ્ર તરફથી મદદ બદલ આભાર. આશ્રમવાસીઓના અનેક પરિવારો અહીં રહેતા હતા. તેમના સહયોગ વગર આ પુનઃ વિકાસ શક્ય ન હતો. આશ્રમવાસીઓ અને ટ્રસ્ટીઓના સહયોગ બદલ આભાર.

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે. વિશ્વ સ્તરીય સુવિધાઓથી સ્મારક સજ્જ હશે. તેમજ સ્મારક ગાંધીજીના આદર્શો – યોગદાનને સમજવાનું કેન્દ્ર બનશે. એક નવા સ્વરૂપમાં સાબરમતી આશ્રમ ઉભરશે. તેમાં આશ્રમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. 20 જૂની ઇમારતોનું સંરક્ષણ, 3 ઇમારતનું નિર્માણ કરાશે. 13 ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. વ્યાખ્યાન કેન્દ્ર, સોવિનિયર શોપ, ફૂડ કોર્ટ બનાવાશે.

ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. જેને લઈ PM મોદીએ ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન જોઇ તેનું લોન્ચિંગ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
રાજકોટ

રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા

Editor By Editor 5 days ago
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
GPSCનું વલણ અને વર્તણુંક અહંકારી : હાઇકોર્ટ
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?