- નાયબ સિંહ સૈની હરિયાણાના નવા અને 15મા મુખ્યમંત્રી બન્યા
- પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મીડિયા સામે નિવેદન આપ્યું છે
- તેમણે કહ્યું કે હું ભાજપનો ભક્ત છું
ચંડીગઢ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે હરિયાણામાં સરકારનો ચહેરો બદલીને મોટો જુગાર રમ્યા છે. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા અને 15મા મુખ્યમંત્રી બન્યા. સીએમ સૈનીએ આજે રાજ્ય વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં તે પોતાની બહુમતી સાબિત કરશે. એ જ દિવસે વિધાનસભાના નવા અધ્યક્ષની પણ ચૂંટણી થઈ શકે છે.
મનોહર લાલ અને તેમના સમગ્ર મંત્રીમંડળે મંગળવારે એકસાથે રાજીનામું આપ્યું હતું
અગાઉ, હરિયાણામાં રાજકીય ઘટનાક્રમમાં અચાનક નાટકીય પરિવર્તનમાં, મનોહર લાલ અને તેમના સમગ્ર મંત્રીમંડળે મંગળવારે એકસાથે રાજીનામું આપ્યું હતું. જે પછી જેજેપી સમર્થિત સરકાર પડી. બપોરે યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે હરિયાણામાં છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલ ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું રાજકીય ગઠબંધન પણ તૂટી ગયું.
હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મીડિયા સામે નિવેદન આપ્યું છે
નાયબ સૈની સીએમ બન્યા બાદ પ્રથમ વખત હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મીડિયા સામે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ભાજપનો ભક્ત છું. સંજોગો બદલાઈ શકે છે પરંતુ હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશ. ફ્લોર ટેસ્ટ અંગે વિજે કહ્યું કે મેં દરેક પરિસ્થિતિમાં ભાજપ માટે કામ કર્યું છે અને હવે પણ કરીશ અને પહેલા કરતા અનેકગણું કરીશ.
રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે
લોકસભાની ચૂંટણી પહેલા સરકારમાં થયેલા ફેરફાર દરમિયાન અનિલ વિજને મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આની પાછળ પ્રાદેશિક સમીકરણો સૌથી મહત્ત્વના છે, પરંતુ વિજને તેમની નારાજગીના કારણે પડતા મુકાયા હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.


