- ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર કર્યો શરૂ
- દક્ષિણ ભારતમાં પોતાનો દબદબો બનાવવાનો ભાજપનો પ્રયાસ
- તમિલનાડુના કોઈમ્બતુરમાં PM મોદી ભવ્ય રોડ શો યોજાયો
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓએ જોરશોરથી ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનો દબદબો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આજે તમિલનાડુના કોઈમ્બતુરમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં ભાજપ કર્યકરો અને લોકની ભારે ભીડ જોવા મળી હતી. 7 તબક્કાની લોકસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઇ દક્ષિણ ભારતમાં ભાજપ 400ને પારના મંત્ર સાથે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
NDA અને INDI ગઠબંધન બંનેએ હજુ સુધી આ બેઠક માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે ભાજપે AIADMK સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સામાન્ય ચૂંટણી લડી હતી અને 2019માં તેને એક પણ સીટ મળી ન હતી. સપ્ટેમ્બર 2023 માં બંનેએ તમિલનાડુ કૉંગ્રેસ જેવા નાના પક્ષો સાથે ચૂંટણી લડવા માટે ભાજપને છોડીને અલગ થઈ ગયા હતા.
અન્નામલાઈના નેતૃત્વમાં ભાજપમાં નવો ઉત્સાહ
ભાજપ તમિલનાડુમાં તેના રાજ્ય એકમના પ્રમુખ કે અન્નામલાઈના નેતૃત્વમાં નવા જોશ સાથે પ્રવેશ કરી રહી છે. નિષ્ણાતોના મતે, ભાજપે તમિલનાડુમાં નાના પક્ષો સાથે એકલા ચૂંટણી લડવાની જે તક લીધી છે તે રાજ્યમાં ડીએમકેની આગેવાની હેઠળના INDI ગઠબંધન અને વિરોધ પક્ષ AIADMK સામે ત્રિકોણીય હરીફાઈમાં લગભગ 5 બેઠકો જીતવામાં મદદ કરી શકે છે.
ભાજપ માટે કોઈમ્બતુર કેમ મહત્વનું છે?
- છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં ભાજપને કોઈમ્બતુરમાં લગભગ ત્રીજા ભાગના મતો મળ્યા હતા
- 2014માં જ્યારે ત્રિપાખયો ચૂંટણી જંગ જામ્યો હતો ત્યારે ભાજપ AIADMKની તુલનાત્મક રીતે નજીક આવી હતી
- હિન્દુ મુન્નાની પ્રવક્તા સી શશીકુમારની હત્યા બાદ અનેક મસ્જિદો અને ચર્ચોમાં પથ્થરમારાની ઘટનાઓ નોંધાયા બાદ 2016માં કોઇમ્બતુરમાં વ્યાપક હિંસા જોવા મળી હતી NIAએ તેની ચાર્જશીટમાં હવે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યોને આરોપી તરીકે નામ આપ્યા હતા.
- 1998માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની કોઈમ્બતુરની મુલાકાત દરમિયાન અનેક બોમ્બ વિસ્ફોટોમાં 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ, સ્થાનિક ભાજપ નેતા સીપી રાધાકૃષ્ણન 1998 અને 1999માં બે વાર લોકસભામાં ચૂંટાયા. જો કે, તેઓ 2004 થી તેમની સીટ જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ સીપીઆઈએમના પીઆર નટરાજન સામે હારી ગયા હતા.
- તમિલનાડુમાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર અને મહિલા મોરચાના પ્રમુખ વનથી શ્રીનિવાસને કોઈમ્બતુર દક્ષિણ મતવિસ્તારમાં નજીકની હરીફાઈમાં અભિનેતા અને મક્કલ નીધી મૈયામના નેતા કમલ હાસનને હરાવ્યા હતા. હાસન, શ્રીનિવાસન અને કોંગ્રેસના મયુરા જયકુમાર વચ્ચે મુકાબલો હતો.
- મતોના વિભાજનને ટાળવા માટે, INDI ગઠબંધન આ સીટ પરથી માત્ર એક જ ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે બીજેપી ફરી એકવાર આ સીટ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં (234-સભ્યોની તમિલનાડુ વિધાનસભા), ભાજપ પાસે કુલ 4 ધારાસભ્યો છે, જેમાં કોઈમ્બતુરના એકનો સમાવેશ થાય છે.


