By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    13 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સદગુરુ જગ્ગી વાસુદેવ ફરતે તામિલનાડુ સરકારનો ફાંસલો મજબુત કરાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

સદગુરુ જગ્ગી વાસુદેવ ફરતે તામિલનાડુ સરકારનો ફાંસલો મજબુત કરાય છે

agragujaratnews
Last updated: 2024/04/08 at 8:45 PM
1 year ago
Share
સદગુરુ જગ્ગી વાસુદેવ ફરતે તામિલનાડુ સરકારનો ફાંસલો મજબુત કરાય છે
SHARE

જગદગુરૂના ઇશા ફાઉન્ડેશન આશ્રમમાંથી ૬ લોકો ગુમ થયાની હેબિયર્સ કોપર્સ થઇ છે !

સનાતન ધર્મને કોરોના ,મેલેરિયા સાથે સરખાવનાર સ્ટાલિન સરકાર માટે સદગુરુ એક પડકાર છે

૧૭મી માર્ચના રોજ તમિલનાડુ સહિત દેશ વિશ્વમાં ખ્યાતનામ ઇન્ટેલેકચ્યુઅલ,સ્પિરિચ્યુઅલ સદગુરુ જગ્ગી વાસુદેવ ઉપર દિલ્હીની એપોલો હોસ્પિટલમાં વિખ્યાત ન્યુરો સર્જન વિનીત સુરીએ બ્રેઇન સર્જરી કરી. સદગુરુની તબિયત દાખલ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે ખુબ બગડી ગઇ હતી. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા હતાં.પરંતુ ઓપરેશન બાદ તેમની તબિયતમાં સતત સુધારો આવી રહયો છે. આ જ સદગુરુ જગ્ગીના તમિલનાડુના ઇશા આશ્રમમાંથી છ વ્યકિ ગુમ થયાની સ્ટાલિન સરકારે હેબિયર્સ કોપર્સ કરી છે. જેમાંની એક મહિલાનો અન્ય સ્થળેથી મૃતદેહ મળ્યાનું પણ સમાચારોમાં છે. આ મામલે તમિલનાડુમાં પબ્લીક પર્સેપ્શન શું છે? અને તેનો મોટા સ્કેલ ઉપર શું અર્થ થઇ રહયો છે તે જાણીએ.

Contents
જગદગુરૂના ઇશા ફાઉન્ડેશન આશ્રમમાંથી ૬ લોકો ગુમ થયાની હેબિયર્સ કોપર્સ થઇ છે !સનાતન ધર્મને કોરોના ,મેલેરિયા સાથે સરખાવનાર સ્ટાલિન સરકાર માટે સદગુરુ એક પડકાર છે

સૌ પ્રથમ તો તમિલનાડુનું રાજકારણ સમજવુ જરૂરી છે. હાલ તામિલનાડુના મુખ્યમંત્રી  એમ.કે. સ્ટાલિન એટલે  મુથ્થુવેલ કરુણાનિધિ સ્ટાલિન.કાળા ચશ્માવાળા સ્વર્ગસ્થ બુઝર્ગ કરુણાનિધિના પુત્ર એમ.કે. સ્ટાલિન દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ના સર્વે સર્વા છે. તેમજ તામિલનાડુના મુખ્યમંત્રી છે. તેમના પુત્ર ઉદયનિધિ મારન તેમની જ સરકારમા મંત્રી છે. થોડા સમય પહેલાં ઉદયનિધિ મારને  સનાતન ધર્મ વિષે વિવાદાસ્પદ વિધાન કર્યુ હતું. તેમણે સનાતન ધર્મનો વિરોધ કરી સનાતનીઓને કોરોના,મેલેરિયા અને મચ્છર સાથે સરખાવ્યા હતાં.સ્વાભાવિક સ્ટાલિન પરિવાર ઇસાઇ ધર્મી છે. હિન્દુ વિરોધી છે.સનાતન વિરોધી છે.

કટ ટુ પાર્ટ ટુ: ગત ૧૭મી માર્ચ વિશ્વવિખ્યાત સદગુરુ જગ્ગીની તબિયત લથડયા બાદ તેમને બ્રેઇનસ્ટ્રોકની સારવાર માટે દિલ્હીની એપોલો હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં તેમનું ઓપરેશન કરાયુ હતું. વિશ્વ વિખ્યાત ન્યુરો સર્જન વિનિત સુરીએ સદગુરુની સર્જરી કરી હતી. એક તબકકે સદગુરુની સ્થીતિ ગંભીર હતી. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. પરંતુ ઓપરેશન સફળ રહયુ છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. ડો. સુરીના જણાવ્યા મુજબ સમયસર સારવાર ન મળી હોત તો સદગુરુના જીવ ઉપર જોખમ હતું.

કટ ટુ પાર્ટ થ્રી : આ સદગુરુ જગ્ગીનું તામિલનાડુમાં ખુબ મોટુ નામ છે. એ સનાતન ધર્મના મોડર્ન એજના ગુરુ છે. તેમનો અંગ્રેજી ઉપર પ્રભાવક કાબુ છે. તેમની પાસે સનાતન ધર્મના મૂળને સમજાવવા માટે ઓશો જેવો તર્ક છે. તેમના મહાશિવરાત્રિના વૈશ્વિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહયા હતાં. તેમના નૃત્ય અને ધાર્મિક કાર્યક્રમમાં કયારેક એ અલગારી જેવા લાગે છે. આ સદગુરુ સામે તામિલનાડુ સરકારે કાર્યવાહી શરૂ કરી છે. તેમના આશ્રમમાંથી ૬ વ્યકિત ગુમ થયા છે એવી હેબિયર્સ કોપર્સ થઇ છે. કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

ભારતમાં કોઇ પણ વ્યકિત સામે પોલીસ કે સરકારની તપાસ શરૂ થાય એટલે લોકો તેને ગુનેગાર માનવાનું શરૂ કરી દયે. જેને પબ્લીક ટ્રાયલ અને પબ્લીક પરશેપ્શન કહેવાય. જે તે વિસ્તારમાં જે બહુમતી ધર્મપાલક કે બહુમતી સમાજનું અધિપત્ય હોય ત્યાં સરકાર આધારિત ધર્મ હોય. તામિલનાડુમાં હાલ સ્ટાલિનના રાજમાં ઇસાઇ ધર્મની ફેવરમાં કાયદા ફેરવાય છે. સદગુરુ સામે કાર્યવાહિ પાછળ આશારામ જેવી જ મોડસ ઓપરેન્ડી જોવાય છે. જે લોકો ગુમ થયા એ કયારે આશ્રમમાં ગયા હતાં કે ગયા નહોતા તેના કોઇ પુરાવા નથી. આથી શંકાના વાદળ છે. બીજી બાજુ ઇશા ફાઉન્ડેશને આ આરોપોને સખત રીતે ફગાવી આ સમગ્ર કાર્યવાહિને કિન્નાખોરીવાળી ગણાવી છે.

કટ ટુ પાર્ટ ફોર એન્ડ લાસ્ટ : તામિલનાડુમાં સનાતન ધર્મ વિરૂધ્ધ ઇશાઇ ધર્મનીલડાઇ શરૂ થઇ ગઇ છે. મોગલ અને આક્રાંતાઓએ પશતુન પહાડીઓ તરફથી ઉતર ભારતમાંથી આક્રમણો કર્યા હોવાનો ઇતિહાસ છે. તેઓ દક્ષિણ સુધી કયારે ય પહોંચી શકયા નહોતા. દક્ષિણ ભારતમાં ગુપ્ત અને મૌર્ય શાસકોની બોલબાલા હતી. સમ્રાટ અશોકનો સિતારો બુલંદ રહયો હતો. એ સમયે ખુબ હિન્દુ વૈષ્ણવ મંદિરો અને બૌધ્ધ મંદિરો સ્તુપ બન્યા હતાં. જે પાછળથી ઇસાઇ ધર્મના પ્રભાવમાં અને ધર્માંતરણમાં ઝંખવાતાં રહયા. આજે પણ ભારતના અતિ પ્રખ્યાત મંદિરો દક્ષિણભારતમાં છે. શીલાઓમાંથી કોતરણી કરી બનાવેલા મંદિરો દક્ષિણ ભારતમાં યે. પરંતુ સનાતન વિરોધી રાજય સરકારોએ ધર્માંતરણ સાથે સાથે મંદિરો અને મંદિરોની જમીનો પણ કબજે કરવાનો એજન્ડા ચલાવ્યો. દક્ષિણ ભારતમાં વ્યાપક હિન્દુ વિરોધી માનસ આ એજન્ડાનું માનસ છે. જેને હાલ ભાજપ અને કેન્દ્રની સરકારે પડકારી છે. તામિલનાડુ સરકારે હિન્દુ મંદિરોની ૪૪ હજાર એકર જમીન રેકોર્ડમાંથી જ અદ્રશ્ય કરી દીધી છે તે મામલે હવે તપાસનો ગાળિયા કસવામા આવી રહયો છે.

લાસ્ટ લાઇન્સ : આ તમામ સ્થીતિમાં સદગુરુ જગ્ગી વાસુદેવના ઇશા આશ્રમ સામે થતી  કાર્યવાહિને સનાતન ધર્મના હિમાયતીઓ એક ષડયંત્ર તરીકે જોઇ રહયા છે. જે રીતે કોંગ્રેસ સરકારમાં આશારામ સામે કાર્યવાહી થઇ હતી. એ જ રીતે હવે સદગુરુને ફસાવવામાં આવશે તેવો દાવો થઇ રહયો છે. લોકસભાની ચૂંટણી માથા ઉપર ગાજે છે ત્યારે સાઉથમાં સનાતન વિરૂધ્ધ સ્ટાલિનની લડાઇએ જોર પકડયુ છે. સમયના ગર્ભમા શું છુપાયુ હશે ? એ  સમય જ કહેશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
સ્પોર્ટ્સ

WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

By 4 days ago
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?