- દિલ્હી લિકર પોલીસી કેસ મામલે કેજરીવાલની મુશ્કેલીઓ વધી
- ગોવા ચૂંટણીમાં ભંડોળ મામલે ચરણપ્રીત સિંહની ધરપકડ
- CM અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ
દિલ્હી લિકર પોલીસી કેસ અને મની લોન્ડરિંગ કેસમાં EDએ ચરણપ્રીત સિંહની ધરપકડ કરી છે, જેમણે ગોવા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભંડોળનું કથિત રીતે વ્યવસ્થા ગોઢવી હતી. સૂત્રોએ જણાવ્યું કે કોર્ટે સિંહને 18 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચરણપ્રીત સિંહે જૂન 2022થી માર્ચ 2022 સુધી AAPના ગોવા ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો અને તેને ફેબ્રુઆરી 2022માંAAPએ ચૂકવણી કરી હતી. ચરણપ્રીત સિંહને દિલ્હી સરકારમાં PR કામ કરવા માટે WIZSPK કોમ્યુનિકેશન તરફથી 55 હજાર રૂપિયા મળ્યા હતા. આ કંપની દિલ્હી સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત તેઓ વિજય નાયરની સાથે AAPના ઘણા નેતાઓ સાથે પણ જોડાયેલા હતા.
આ કેસમાં ED દ્વારા આ 17મી ધરપકડ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગયા મહિને આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ જ કેસમાં અગાઉ ચરણપ્રીત સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસ CBI FIR પર આધારિત છે. EDએ કોર્ટને જાણ કરી છે કે ચરણપ્રીત સિંહે 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન AAPના પ્રચાર માટે રોકડ ચૂકવણીની “વ્યવસ્થા” કરી હતી અને પાર્ટી સાથે સંબંધો ધરાવે છે.


