- SMCના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા હતા સેમ્પલ
- દુધની ગુણવત્તા સારી નહીં હોવાનું તારણ
- 29 આઈસ્ક્રીમનાં સેમ્પલોમાંથી 10 સેમ્પલ ફેલ થયા
સુરતવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન રહેજો. જેમાં આઈસક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે. SMCના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા હતા. તેમાં દુધની ગુણવત્તા સારી નહીં હોવાનું તારણ સામે આવ્યું છે. તથા 29 સંસ્થાઓમાંથી સેમ્પલ લેવાયા હતા.
29 આઈસ્ક્રીમનાં સેમ્પલોમાંથી 10 સેમ્પલ ફેલ થયા
29 આઈસ્ક્રીમનાં સેમ્પલોમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. SMC દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દસ દિવસ પહેલા બરફગોલા, કેરી, પનીર અને આઈસ્ક્રીમ સહીતનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી સેમ્પલો લેવાયા હતા. ઉનાળાની શરૂઆત થતાં ગુજરાતમાં ગૃહિણીઓ ઘરમાં અનાજ, કઠોળ અને મસાલા ભરાવે હોય છે, ત્યારે આ સિઝનમાં તમામ વસ્તુઓ ડુપ્લીકેટ અને મિક્સિંગવાળી મળતી હોવાની ફરિયાદના આધારે સુરત આરોગ્ય વિભાગે અગાઉ અનાજ, કઠોળ અને મસાલાના સેમ્પલ લીધા હતા. જેમાંથી અનાજનું એક અને મસાલાના ત્રણ સેમ્પલ ફેલ જતાં આ વેપારીઓ વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા દંડ ભરવાર સાથે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કામગીરી શરૂ કરી હતી.
હવે આઈસક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા
સિઝનમાં આ તમામ વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ હોવાથી વેપારીઓ કમાવા માટે આ તમામ વસ્તુઓમાં મિક્સિંગ કરતાં અથવા ડુપ્લીકેટ વેચાતા હોવાનું ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સામે આવી રહ્યું છે, ત્યારે આવી ખરાબ વસ્તુ લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવાને લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં હવે આઈસક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે.


