- ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈ રાજય સરકારની માર્ગદર્શિકા
- ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવા સૂચના
- જે તારીખે નોંધણી કરાવી છે એ જ તારીખ મુજબ જઉ પડશે
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યા બાદ હવે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા કરવા ઇચ્છતા તમામ યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ચારધામ કરવા ઇચ્છતા યાત્રાયુઓએ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ ઉપરાંત યાત્રાળુઓ જે તારીખો માટે નોંધણી કરાવે છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચારધામ યાત્રા ધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સલામતી અને સુવિધા સચવાઈ રહે તે માટે કરીને ઉત્તરાખંડ સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
ફરજિયાત નોંધણી
યાત્રાળુઓને ચારધામ યાત્રા પર જતા પહેલા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે. યોગ્ય નોંધણી વિનાના લોકોને નિયુક્ત ચેકપોઇન્ટ પર રોકવામાં આવશે અને તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
હરિદ્વાર-ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ
યાત્રાળુઓએ જે તારીખો માટે નોંધણી કરાવી છે તેનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જેથી મુલાકાતીઓના બહોળા પ્રવાહ સામે યાત્રાના સ્થળોમાં યોગ્ય વ્યવસ્થા જળવાશે અને દરેક યાત્રાળુઓ માટે અડચણ રહિત યાત્રા સુનિશ્ચિત થઈ શકશે.
ટુર ઓપરેટરો પણ ધ્યાન રાખે
ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી જોઈએ કે તેમના પ્રવાસીઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા જરૂરી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોય. આ અગમચેતીના પગલાંથી તીર્થયાત્રા દરમિયાન કોઈપણ અસુવિધા અથવા વિક્ષેપને અટકાવી શકાશે.
મિટીંગ પણ કરવામાં આવી
ગુજરાત સરકારના અગ્ર સચિવ (પ્રવાસન)ની અધ્યક્ષતામાં વિવિધ ટ્રાવેલ અસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતના તમામ ટુર/ટ્રાવેલ ઓપરેટરોને ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરવામાં આવી હતી. જે અંગે તમામ હાજર સભ્યો અને તેમના એસોસિએશનના સભ્યો/યાત્રિકો સાથે ઉપરોક્ત માર્ગદર્શિકાનો પ્રસાર થાય તે માટે સહમત થયા હતા.


