રાજકોટના આગકાંડમાં બનેલી તપાસ સમિતિના વડાના તેવર
તમામ સનદી અધિકારીનો પૂછપરછ કરાસે, કોઈને નહિ છોડાય
રાજકોટના બનાવમાં તપાસ સમિતિ રચવામાં આવી છે. તેના વડા તરીકે સુભાષ ત્રિવેદીને નીમવામાં આવ્યા છે. ગઈકાલે સીટ દ્વારા રાજ્યના ગૃહમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી અને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટ બાદ સીટના વડાએ કહ્યું હતું કે આ બનાવમાં જે પણ કોઈ જવાબદાર હસે તેને છોડવામાં આવસે નહિ. તમાંમ સનદી અધિકારીની પૂછપરછ કરવામાં આવસે. જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેવા સંકેત સીટના વડા દ્વારા આપવામાં આવ્યા છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજય સરકારે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો રીપોર્ટ નિર્ધારીત સમયમાં રજૂ કરાશે તેવી ખાતરી આપતાં તેના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કાંડમાં કોઇપણ અધિકારી કે પદાધિકારીને છોડવામાં નહી આવે, પછી તે આઇએએસ હોય, આઇપીએસ હોય કે આઇએફએસ હોય, તમામની પુછપરછ કરવામાં આવશે.
રાજકોટના ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં હોમાઇ ચુકેલા 3૦ લોકોના દર્દનાક મોત પછી મોડી રાત્રે સરકારે પાંચ સભ્યોની સીટની રચના કરી હતી. આ ટીમ તેનો પ્રાથમિક રિપોર્ટ આપી દીધો છે. પરંતુ ફાઇનલ રિપોર્ટ આપવાનો બાકી છે. સરકારે આ રિપોર્ટ માટે ૧૦ દિવસનો સમય આપ્યો છે ત્યારે આ ટીમના સભ્યોએ જવાબદારો અને શંકાસ્પદ લોકો સામે તપાસ શરૂ કરી છે.
આ ટીમના વડા અને સીઆઇડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી ઉપરાંત ટેકનિકલ એજયુકેશનના કમિશનર બંછાનિધિ પાની, એફએસએલના ડાયરેકટર એચપી સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખેર અને માર્ગ મકાન વિભાગના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર એમ.બી.દેસાઇ આજે ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રીને મળ્યા હતા અને તપાસમાં થયેલ પ્રોગ્રેસની ચર્ચા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં બીજી કેટલીક સૂચનાઓ પણ આ ટીમને આપવામાં આવી છે.
આ સમીક્ષા બેઠક બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે આ ઘટનામાં જે લોકોના જીવ ગયા છે તેમને ન્યાય આપવા માટે આ ટીમની રચના કરવામાં આવી છે. અમે તપાસનો રીવ્યુ કર્યો છે. આ કાંડમાં જે કોઇ સંડોવાયેલા હશે તેને શોધીને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે અમને સૂચના આપી છે. આગની આ ઘટનામાં જે કોઇ જવાબદાર પદાધિકારી કે અધિકારી હશે તેમની પુછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય આંકલન કરીને સરકારને રીપોર્ટ સબમીટ કરાશે.
અંતિમ રિપોર્ટ પછી કાર્યવાહી થસે
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ, ફાયર, મ્યુનિસિપલ, કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઇપણ વ્યકિત સામે સખ્તાઇથી કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરાશે. અમે જે પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે તેની સમીક્ષા ગૃહ રાજયમંત્રી સમક્ષ કરી છે પરંતુ હવે ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે ત્યારપછી સરકાર પગલાં ભરાશે. અમે દિવસ-રાત તપાસ કરીને પ્રાથમિક વિગતો મેળવી હતી.


