રાજય સરકારના પુરવઠા નિગમ દ્વારા રેશનકાર્ડ ધારકોને દર મહિને એક કિલો તુવેર દાળનુ વિતરણ કરવામાં આવે છે પરંતુ નિગમ દ્વારા જે કવૌલીટી માંગવામાં આવે છે તેવી ક્વોલિટીની તુવેર જે એજન્સી દ્વારા સમયસર માલ પુરો પાડી શકતી ન હોવાના કારણે વારંવાર રેશનકાર્ડ ધારકો માંથી વ્યાપક ફરીયાદો ઉઠવા પામતી હોય જુન માસમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં તુવેર દાળ નો જથ્થો સસ્તા અનાજના દુકાનદારોને આપવામાં નહીં આવતા આ મહીને કાર્ડ ધારકો તુવેરદાળ થી વંચિત રહેશે તેમ સસ્તા અનાજના વેપારીઓનું કહેવું છે.
રાજકોટ શહેરમાં 64 હજાર રેશનકાર્ડ ધારકોને દર મહિને એક કિલો તુવેર દાળનુ વિતરણ રાજયના પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ દર મહિને તુવેર દાળનો જથ્થો પુરો પાડતી એજન્સી દ્વારા પુરતો જથ્થો આપવામાં આવતો ન હોવાના કારણે દર મહિને સસ્તા અનાજના દુકાનદારોને પુરતો જથ્થો નહીં મળવાના કારણે કાર્ડ ધારકોમાંથી વ્યાપક ફરીયાદો ઉઠવા પામતી હોવાના કારણે આ મહીને એટલે કે જુન માસમાં પુરવઠા નિગમ દ્વારા તુવેરદાળનો જથ્થો સસ્તા અનાજના દુકાનદારોને આપવામાં નહીં આવતા આ મહીને કાર્ડ ધારકો તુવેરદાળ થી વંચિત રહેશે. સમગ્ર રાજ્યમાં 73 લાખ અને રાજકોટ જિલ્લામાં 2 લાખ કાર્ડ ધારકોને તુવેરદાળ નું વિતરણ નહીં કરવામાં આવે તેમ સસ્તા અનાજના વેપારીઓનું કહેવું છે.


