- સુરતમાં બાળકીના મોત અંગે SMCની સ્પષ્ટત્તા
- રસી મુક્યાના 19 કલાક બાદ બાળકીનું મોત
- બાળકીના મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું
સુરતમાં રસી લીધા બાદ બાળકીનું મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ બાળકીનું મોત રસી લેવાના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવતું હતું. જે અંગે હવે SMCએ સ્પષ્ટતા કરી છે. SMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે રસી લીધા પછી 19 કલાક પછી બાળકીનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, દોઢ વર્ષની બાળકીને રસી મૂકવામાં આવી હતી.
બાળકીના શરીર પર રસીની કોઈ આડઅસર નથી
ગતરોજ સુરતમાં દોઢ વર્ષની બાળકીને રસી મૂકવામાં આવી હતી. જેના 19 કલાક બાદ બાળકીનું મોત થયું હતું. જે બાદ SMCએ જણાવ્યું કે બાળકીના શરીર પર રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. અને એ બાળકીને જે જગ્યાએ રસી મૂકવામાં આવી હતી ત્યાં જ બીજા 19 બાળકોને પણ રસી મુકવામાં આવી હતી તે પણ SMCએ જણાવ્યું હતું.
સુરત મનપા આરોગ્ય વિભાગ દોડતું થયું
કતારગામ ઝોનમાં કુલ 95 બાળકોને રસી આપવામાં આવી હતી. જેમાં કોઈ પણ બાળકને રસીને આડઅસર જોવા મળી નથી. મહત્વનું કહી શકાય કે, આ બાળકીને રસી આપ્યા પછી 19 કલાક પછી મોત થયું હતું જેમાં તેણે દૂધ પીવાદવવામાં આવ્યું ત્યારબાદ આ બાળકી ઉઠી જ ન હતી. આ સમગ્ર મામલો સામે આવતા સુરત મનપા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.


