- દહેગામમાં 8માંથી 7ને હોસ્પિટલમાંથી રજા અપાઈ
- પાણીના સેમ્પલ ફેલ જતા ટેન્કરથી અપાયું પાણી
- આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરાઈ તપાસ
ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. જેમાં દહેગામમાં 8 માંથી 7ને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમાં દહેગામમાં પાણીના 12 સેમ્પલ ફેલ થયા છે. જેમાં પાણીના સેમ્પલ ફેલ જતા ટેન્કરથી પાણી અપાયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પાણીની પાઈપલાઈન બદલવાની કામગીરી શરૂ કરાઇ છે.
આઠમાંથી સાત કોલેરાગ્રસ્ત દર્દીઓને સારવાર પૂર્ણ કરી ડિસ્ચાર્જ અપાયુ
ગાંધીનગર જિલ્લામાં ચાર વિસ્તારમાં જાહેર થયેલા કોલેરાના મામલે દહેગામમાંથી કોલેરાના આઠ કેસ સામે આવ્યા છે. ત્યારે આઠમાંથી સાત કોલેરાગ્રસ્ત દર્દીઓને સારવાર પૂર્ણ કરી ડિસ્ચાર્જ અપાયુ છે. આરોગ્ય વિભાગની 20 ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. કોલેરાગ્રસ્ત જાહેર થયેલા વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન બદલવાની કામગીરી શરૂ કરાઈ છે. દહેગામ સિવાય કલોલ, પેથાપુર અને મોટી શીહોરી ગામમાં કોલેરાની અસર થઈ હતી.
આરોગ્ય વિભાગે કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી
તેમજ પાલનપુર શહેરમાં કોલેરાના રોગે દસ્તક દીઘી છે. જેના કારણે વોર્ડ નંબર 6ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર 6ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણુંક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, એક વ્યક્તિનું ઝાડા ઉલ્ટીથી મોત પણ નીપજ્યું છે. કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શકય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબુ મેળવવા આરોગ્ય વિભાગને સુચના અપાઈ છે. આરોગ્ય વિભાગે કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


