- અધ્યક્ષ પદે OBC સમાજમાંથી મળી શકે છે સ્થાન
- દેવુસિંહ ચૌહાણ, મયંક નાયકને મળી શકે અધ્યક્ષ પદ
- સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર નેતાનું નામ પણ ચર્ચામાં
ગુજરાત ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર થશે. જેમાં અધ્યક્ષ પદે OBC સમાજમાંથી સ્થાન મળી શકે છે. તેમાં દેવુસિંહ ચૌહાણ, મયંક નાયકને અધ્યક્ષ પદ મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર નેતાનું નામ પણ ચર્ચામાં છે. તેમાં મહેશ કશવાલાને પણ અધ્યક્ષ પદ સોંપાઈ શકે છે. તેમજ 4 મહામંત્રી પદે ક્ષત્રિય, બ્રાહ્મણમાંથી સ્થાન મળી શકે છે.
મહામંત્રી પદે પાટીદાર, SC કે STમાંથી સ્થાન મળી શકે છે
મહામંત્રી પદે પાટીદાર, SC કે STમાંથી સ્થાન મળી શકે છે. તેમાં કેન્દ્રમાં સરકારના ગઠન બાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર આવશે. જેમાં અધ્યક્ષ પદે ઓબીસી સમાજની નાની જ્ઞાતિમાંથી કોઈને પણ સ્થાન મળી શકે છે. તો સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર નેતાને પણ જવાબદારી સોંપાઈ શકે છે. જેમાં 4 મહામંત્રી પદે ક્ષત્રિય, બ્રાહ્મણ , પાટીદાર અને એસસી કે એસટી સમાજમાંથી સ્થાન મળી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં ઈચ્છિત પરિણામ નહિ મળતા કાસ્ટ ફેક્ટર લક્ષમાં રાખી નેતાઓને જવાબદારી સોંપાઈ શકે છે.
દેવુસિંહ ચૌહાણ ઓબીસી સમાજમાંથી આવે છે
આગામી સંગઠનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં નેતાઓને વધારે સ્થાનની શક્યતાઓ જોવાઈ રહી છે. જેમાં દેવુસિંહ ચૌહાણ ઓબીસી સમાજમાંથી આવે છે. રાષ્ટ્રીય સ્તરે કામગીરીનો અનુભવ અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ મહેશ કશવાલા સંગઠનમાં બીજી વખત મંત્રીનાં હોદ્દા પર છે છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનમાં સક્રિય છે તેમજ સૌરાષ્ટ્રમાંથી લેઉવા ચહેરો છે.


