- ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મંત્રીઓને કરી રજૂઆત
- ચૂંટણી બાદ ફરી જ્ઞાન સહાયકોની રજૂઆત
- કરાર આધારિત ભરતીના બદલે કાયમી ભરતીની માગ
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોનો મુદ્દો ખાસ્સો ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓને શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર સચિવાલય ખાતે કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજુઆત કરવામાં આવી છે. લોકસભા ચુંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટણીને લઈને આચારસંહિતા પણ હટાવી દેવામાં આવી છે. ત્યારે એકવાર ફરી ઉમેદવારો દ્વારા શિક્ષકોની ભરતીને રજુઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ શિક્ષક તરીકે ભરતી ઇચ્છતા ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી અને મંત્રીઓને રજુઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ઉમેદવારોએ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીને બદલે કાયમી ભરતી કરવા માટે માંગ કરાઇ છે.


