- ભગવાન જગન્નાથજીનો જળાભિષેક પૂર્ણ
- ખાસ પ્રસાદ સાથે જગન્નાથ મંદિરનો મહિમા
- જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભંડારો
દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાનાં 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે 22 જૂન 2024ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથનો જળાભિષેક પૂર્ણ થઈ ગયો છે. જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી ગજવેશમાં દર્શન આપતા હોય છે. અને ગજવેશનાં દર્શન કર્યા બાદ ભગવાનની મહા આરતી કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાનું વિશેષ મહત્વ
અમદાવાદ વાસીઓ માટે ભગવાન જગન્નાથની રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ એકવાર આ રથયાત્રાનાં દર્શન કરી લે છે તો ભગવાન જગન્નાથ તેના ભવો ભવના પાપ ધોવાઈ જાય છે.આ સમયે અનેક વિશેષ પ્રસાદ અને માન્યતાઓ પણ રથયાત્રાના પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છેકાળી રોટી અને ધોળી દાળની પ્રસાદીનો વિશેષ મહિમા રહેલો છે.
કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી
જગન્નાથ મંદિરમાં ભક્તોને કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી આપવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે અને દર વર્ષે તેનું પાલન કરવામાં આવે છે.જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને અને ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો.
નિજમંદિરે ભક્તોને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે
કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક. આજે પણ જ્યારે ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે. રથયાત્રાની તૈયારીને લઈને પણ ભક્તની ભીડ રહે છે. આ સમયે મંદિરે આવતા લોકો કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અવશ્ય આરોગે છે. આ સિવાય ભક્તોને ઘરે લઈ જવા માટે માલપુઆ, બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.
પ્રસાદ માટે ભક્તો પડાપડી કરે છે
જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં નગરયાત્રાએ નીકળે છે ત્યારે કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે. જેમને પ્રસાદ મળે છે તેઓ પોતાને ધન્ય થયેલા માને છે. આ પ્રસાદ લેવા માટે સામાન્ય સંજોગોમાં ભક્તો પડાપડી કરતા હોય છે. આ ભંડારામાં કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાકનો પ્રસાદ આપવામાં આવે છે. આ સિવાય સાધુ સંતો માટે ચણાનું શાક, પુરી અને માલપુઆ બનાવવામાં આવે છે જે તેઓ પ્રસાદમાં ગ્રહણ કરે છે.


