ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે
શ્રાવણ માસના પ્રથમ સોમવારે યોજાશે ઐતિહાસિક અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર શ્રાવણ માસના આગમન સાથે રાજ્કોટ શહેરમાં શિવભક્તિ અને ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાવા જઈ રહ્યો છે. રાજ્કોટના ગ્રામ દેવતા તરીકે પૂજ્નીય સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં ત્રિપાંખ સાધુ સમાજ, રાજ્કોટ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજ્ન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા એકસાથે 11 ધ્વજા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના શિખર પર ચડાવવામાં આવશે. ત્રિપાંખ સાધુ સમાજ્ના વિવિધ પાંખો એટલે રામાનંદી સાધુસમાજ, અતીત સાધુસમાજ, માર્ગી સાધુસમાજ એક સાથે જોડાઈને આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ યોજી રહ્યા છે, જે સમાજ્ના ઇતિહાસમાં પ્રથમ વખત બનનાર વિશેષ પ્રસંગ હોવાનું આયોજકો દ્વારા જ્ગાવાયું છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તા.૧૭-૮ના બપોરે 3:00 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. બડા બજરંગ હનુમાનજી મહારાજ્ના મંદિર, રામનાથપરા ખાતેથી ત્રિપાંખ સાધુ સમાજ્ના સંતો-મહંતો, સાધુ-સંતો, સેવકો તથા શિવભક્તો પરિવાર સાથે એકત્રિત થઈને વાતે-ગાજતે, હર્ષ અને ઉલ્લાસભેર સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના ધામ તરફ પ્રસ્થાન કરશે. આ સમગ્ર ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. ત્યારબાદ ધાર્મિક વિધિ-વિધાન અને ભક્તિભાવ સાથે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના શિખર પર એકસાથે 11 ધ્વજા ચડાવવામાં આવશે.
આ પ્રસંગે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના મહંત પરિવારનું ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. રામનાથ મહાદેવની પરંપરા, સેવા અને ધાર્મિક વારસાને સન્માનિત કરવાનો આ પ્રસંગ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે.
આ ભવ્ય ધાર્મિક આયોજ્નમાં રામાનંદી અતીત માર્ગી સાધુ સમાજ, તેમના સેવકગણ, સંતો-મહંતો, મંદિરના પૂજારીઓ, સેવકો, સામાજિક અગ્રણીઓ તેમજ શિવભક્તોને વિશેષ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજ્કોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો આ ધાર્મિક પ્રસંગમાં જોડાય તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે ત્રિપાંખ સાધુ સમાજના સંતો-મહંતો ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, મંદિરના પૂજારીઓ અને સેવકો, સામાજિક આગેવાનો તેમજ રાજ્કીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. ત્રિપાંખ સાધુ સમાજના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજ્ની એકતા, ધાર્મિક પરંપરાનું જતન અને ભગવાન શિવ પ્રત્યેની અખંડ શ્રદ્ધાને વધુ મજબૂત કરવાનો છે. એકસાથે 11 ધ્વજા ચડાવવાનો આ અવસર રાજ્કોટના ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસમાં યાદગાર બની રહે તેવી ભાવના આયોજ્કો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આથી તમામ સાધુ-સંતો, મહંતો, સેવકગણ, શિવભક્તો તથા ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગના સાક્ષી બનવા ત્રિપાંખ સાધુ સમાજ, રાજકોટના ગૌતમ ગોસ્વામી, એસ.એસ.ગોસાઇ, જીજ્ઞેશ રામાવત, અનંતભાઇ, ચેતન ગોંડલીયા, ઉજસભાઇ દેસાણી, અજયગીરી ગોસ્વામી વગેરે દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.


