- માણેકબાગ પાસે ભૂવા પડવાનો સિલસિલો યથાવત
- 2 મહિના પ્રિ-મોન્સૂન કામગીરી કરાઈ હતી
- લાંબા સમય સુધી કામગીરી છતાં ભૂવો પડયો
અમદાવાદમાં વધુ એક ભૂવો પડવાની ઘટના બની છે,જેમાં માણેકબાગ વિસ્તારમાં નહેરૂનગર તરફ જતા ધરણીધરનો બ્રિજ ઉતરીએ એટલે તરત મોટો ભૂવો પડયો છે.કોર્પોરેશન દ્રારા હાલ ભૂવાની આસપાસ બેરીકેટ મૂકીને તેને કોર્ડન કરવામાં આવ્યો છે.AMC તંત્રની બેદરકારીથી શહેરીજનો પરેશાન છે,બેરીકેટ લગાવી AMC તંત્રએ માન્યો સંતોષ.
માણેકબાગ વિસ્તારમાં ભૂવો પડયો
શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. દર વર્ષે માણેકબાગ પાસે પડે છે ભુવો.આ વર્ષે પણ માણેકબાગ પાસે ભુવો પડવાનો સિલસિલો યથાવત છે.માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો હતા પરેશાન.મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભુવો પડયો છે.ગઈકાલે રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ ભૂવો પડયો હતો.
રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ
અંજલી ચાર રસ્તાથી નહેરૂનગર તરફ જતા ટ્રાફિક સમસ્યા પણ સાંજના અને સવારના સમયે વધુ હોય છે,ત્યારે ભૂવો પડવાને લઈ હજી પણ ટ્રાફિક વધે તો નવાઈ નહી,કોર્પોરેશન અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ આ ભૂવો પુરાવવાની કામગીરી જલ્દીથી કરે તે જરૂરી બન્યું છે.
ખોખરા વિસ્તારમાં પણ ભૂવો પડયો
પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી છે. પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડયો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે.

વસ્ત્રાલમાં પણ પડયો હતો ભૂવો
હજુ તો ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ જ કર્યો છે અને અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદમાં હજુ તો વરસાદી ઝાપટા પડ્યાં છે, ત્યાં જ ભૂવો પડયો હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે ભૂવો પડયો હતો.અહીં મહાદેવ નગર પોલીસ ચોકી પાસે ભૂવો પડયો હતો.


