- પ્લેન ક્રેશમાં ફક્ત 1 પાયલટનો જીવ બચ્યો
- દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 17 સૌર્ય એરલાઈન્સના કર્મચારી હતા
- ફ્લાઈટ મેઈન્ટેનન્સ સ્ટાફના મનુરાજ શર્મા, તેમની પત્ની અને દીકરાનું મોત
નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક વિમાન દુર્ઘટના બની. જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કાઠમંડુથી પોખરા જઈ રહેલા 19 મુસાફરોને લઈને જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન ટેક-ઓફના તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનામાંથી માત્ર એક પાયલટને બચાવી શકાયો હતો. હવે આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યા
એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્રેશ થયેલા પ્લેનમાં ફ્લાઈટ મેઈન્ટેનન્સ સ્ટાફ મનુરાજ શર્મા તેની પત્ની પ્રિજા ખાતીવાડા અને ચાર વર્ષના પુત્ર અધિરાજ શર્મા સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ત્રણેયના મોત થયા છે. નિવેદન અનુસાર પ્રિજા પણ સરકારી કર્મચારી હતી અને ઉર્જા મંત્રાલયમાં સહાયક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી 17 સૌર્ય એરલાઈન્સના કર્મચારી હતા.
એક પાયલોટનો જીવ બચી ગયો
આ દુર્ઘટનામાં 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યનો જીવ બચી ગયો છે અને તેમને દુર્ઘટના સ્થળેથી બચાવી લેવામાં આવ્યા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું. જેનું નિર્માણ વર્ષ 2003માં થયું હતું. આ વિમાનને સમારકામ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું. જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ઉડાન ભરી અને રનવે 20 પર જ ક્રેશ થયું.
જાણો નેપાળ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કેટલા લોકોના થયા મોત
નેપાળમાં સૌથી મોટી ઘટના જાન્યુઆરી 2023માં બની હતી. યતિ એરલાઈન્સનો વિમાન અકસ્માત થયો હતો. તે સમયે 68 લોકોના જીવ ગયા હતા. તેની દુનિયાભરમાં ચર્ચા થઈ. મે 2022માં નેપાળમાં મસ્તંગમાં એક વિમાન ક્રેશ થયું તેમાં 4 ભારતીયો સહિત 22 લોકોના મોત થયા હતા. 2018ની વાત કરીએ તો તે સમયે માર્ચમાં કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી ઘટના બની. અહીંથી 67 મુસાફરો અને 4 ચાલક દળને લઈ જતું યૂએસ-બાંગ્લા એરલાઈનનું પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું અને તેમાં 49 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી 2016માં નેપાળના કાલીકોટમાં 11 લોકોની સાથેનું વિમાન ક્રેશ થયું હતું.
નેપાળમાં જ શા માટે થઈ રહ્યા છે વધારે પ્લેન ક્રેશ
નેપાળમાં જેટલા પણ એરપોર્ટ છે તે ખાસ કરીને પહાડી વિસ્તારોથી ઘેરાયેલા છે. આ કારણે અહીં લેન્ડિંગ અને ટેકઓફમાં તકલીફ આવી હતી. અહીં એરપોર્ટ પર અપડેટ ટેકનિક નથી અને તેના કારણે લેન્ડિંગ સિસ્ટમ સારી નથી. અહીં નાની ભૂલ પણ મોટી ઘટના બની જાય છે. દર વર્ષે નેપાળમાં કોઈને કોઈ વિમાન ક્રેશની ઘટના બનતી રહે છે.


