- ભારત-યુક્રેન સાથે મળી ગેસ ટર્બાઈન એન્જિન બનાવવા પર પણ વિચાર કરી શકે
- વર્ષ-2029 સુધીમાં અપગ્રેડ પૂર્ણ કરવાનો પ્રયાસ
- એમ મોદી અને જેલેન્સકી વચ્ચે સંરક્ષણ, આર્થિક સંબંધો, ટેક્નોલોજી સહયોગ ઉપર ચર્ચા
વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીના આમંત્રણ ઉપર 23 ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જશે. પ્રવાસ પહેલા પીએમ મોદી અને જેલેન્સકી વચ્ચે સંરક્ષણ, આર્થિક સંબંધો, ટેક્નોલોજી સહયોગ ઉપર ચર્ચા કરી શકે છે. ભારત રશિયા સાથે જે સંરક્ષણ ઉપકરણો ખરીદે છે તેમાં ઘણા ઉપકરણો યુક્રેનમાં બનાવવામાં આવે છે. આમાંથી ઘણા ઉપકરણો એવા છે જેનો હજી યુક્રેનમાં બનતા હોય છે. જેમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજો માટે ગેસ ટર્બાઈન એન્જિન અને ભારતીય નેવીના AN -32 વિમાનો પણ સામેલ છે.
યુક્રેનની સરકારી માલિકીની Zorya-Mashproekt યુદ્ધ જહાજો દ્વારા ઉપયોગમાં લેવાતી ગેસ ટર્બાઈન બનાવવા માટે ભારતીય ખાનગી કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. થોડા વર્ષો પહેલા, ભારતે તેના 105 AN-32 એરક્રાફ્ટના કાફલાને અપગ્રેડ કરવા અને તેમની જીવન રેખા 40 વર્ષ સુધી વધારવા માટે યુક્રેનના STE સાથે 400 મિલિયનના ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
વર્ષ-2029 સુધીમાં અપગ્રેડ પૂર્ણ કરવાનો પ્રયાસ
આ પ્રોજેક્ટમાં ઘણો વિલંબ થયો છે. હવે ભારતીય વાયુસેના 2028-2029 સુધીમાં તેમનું અપગ્રેડ પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. આ એરક્રાફ્ટ યુક્રેન અને રશિયામાં ઉત્પાદિત Ivchenko AI-20DM એન્જિનથી સજ્જ છે. આ સિવાય રશિયાએ 2022માં જોર્યા-માશપ્રોક્ટ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આના પરિણામે ભારત યુક્રેનિયન ગેસ ટર્બાઇન એન્જિન પર નિર્ભરતાને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીના આમંત્રણ ઉપર 23 ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જશે. પ્રવાસમાં પીએમ મોદી અને જેલેન્સકી વચ્ચે સંરક્ષણ, આર્થિક સંબંધો, ટેક્નોલોજી સહયોગ ઉપર ચર્ચા કરી શકે છે. ભારત રશિયા સાથે જે સંરક્ષણ ઉપકરણો ખરીદે છે તેમાં ઘણા ઉપકરણો યુક્રેનમાં બનાવવામાં આવે છે. આમાંથી ઘણા ઉપકરણો એવા છે જેનો હજી યુક્રેનમાં બનતા હોય છે. જેમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજો માટે ગેસ ટર્બાઈન એન્જિન અને ભારતીય નેવીના AN -32 વિમાનો પણ સામેલ છે.
વડાપ્રધાનનો યુક્રેન પ્રવાસ
હવે ભારત-યુક્રેન સાથે મળી ગેસ ટર્બાઈન એન્જિન બનાવવા પર પણ વિચાર કરી શકે છે. પીએમ મોદીની આગામી યાત્રા ડિફેન્સ મેન્ચુફેકચરિંગ સેકટરમાં ભારત-યુક્રેનના પરસ્પર સહયોગમાં એક મોટું પગલું થઈ શકે છે. મહત્ત્વનું છે કે યુક્રેનના પ્રવાસ પર પીએમ મોદી રાષ્ટ્રપતિ જેલેન્સકી સાથે મુલાકાત કરશે. આની પહેલા તે જેલેન્સકી સાથે ત્રણ વાર મળી ચુક્યા છે. આ અગાઉ પીએમ મોદી આઠ-નવ જુલાઈએ રશિયાનો પ્રવાસ કર્યો હતો. તેઓએ 22માં ભારત-રશિયા સંમેલનમાં પુતિન સાથે મુલાકાત કરી હતી.


