By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાચા મનથી પ્રાર્થના કરવાથી માંગીએ તે મળે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સાચા મનથી પ્રાર્થના કરવાથી માંગીએ તે મળે છે

Last updated: 2025/01/16 at 2:19 AM
1 year ago
Share
સાચા મનથી પ્રાર્થના કરવાથી માંગીએ તે મળે છે
SHARE

પ્રાર્થનાના મહત્ત્વનાં અંગ

તમારી પ્રાર્થના પ્રભુ સુધી પહોંચે તે માટે આપણા આરાધ્યદેવ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ, સકારાત્મક વિચાર, શાંત મન અને તેમાં ઈશ્વરની છબિ હોવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

પ્રાર્થના માટે સૌથી પહેલાં નમ્રતા હોવી જરૂરી છે. ખૂબ જ વિનમ્ર ભાવે પોતાના મનની તીવ્ર ઈચ્છાને ઈશ્વર સમક્ષ રાખવાથી તમારી પ્રાર્થનામાં ઈશ્વરની શક્તિ ઊતરે છે. જ્યાં સુધી તમે તમારા જ્ઞાન અને શક્તિ પર ગુમાન રાખો છો ત્યાં સુધી ઈશ્વર સામે આવતા નથી એટલે કે દર્શન આપતા નથી. ઘમંડ અને ભક્તિનો દેખાડો ઈશ્વરપ્રાપ્તિમાં સૌથી મોટી બાધા છે. પ્રાર્થના કરતી વખતે અહંકાર ઉત્પન્ન ન થાય તો જ ઈશ્વરની સમીપ પહોંચી શકાય છે.

દરેકના ઈષ્ટદેવ અલગ અલગ હોય છે. ઈશ્વરનાં વિવિધ સ્વરૂપ પર ભરોસો હોય છે, તેથી આપણે જે ભગવાન કે માતાજીની આરાધના કરીએ તેમની વિશેષતાઓ અને સ્વભાવ વિશે જ્ઞાન હોવું જોઈએ. ઈશ્વરના ગુણોનું જ્ઞાન તેમનું ધ્યાન ધરવામાં મદદરૂપ બને છે. પ્રાર્થના કરતી વખતે આપણે એ પરમ શક્તિ પર એવો વિશ્વાસ રાખવો જોઈએ કે તેઓ આપણી હૃદયપૂર્વક કરેલી પ્રાર્થનાને સ્વીકારશે જ.

ઈશ્વરનું ધ્યાન કરતી વખતે કે પ્રાર્થના કરતી વખતે સંપૂર્ણપણે ઈશ્વરમાં સમાઈ જવું જોઈએ. ઈશ્વરમય બની જવું જોઈએ, ઈશ્વર ભક્તિમાં ડૂબી જવું જોઈએ. પ્રાર્થના કરતી વખતે જ્યારે આપણે પોતાને ભૂલી જઈએ અને માત્ર ઈશ્વરને યાદ રાખીએ ત્યારે આપણી પ્રાર્થના સાર્થક સિદ્ધ થાય છે. પ્રાર્થના કરતી વખતે આપણી અને ઈશ્વરની ચિંતાઓ લુપ્ત થઈ જાય છે અને ઈશ્વરે પ્રાર્થના સ્વીકારવી પડે છે.

પ્રાર્થના કરતી વખતે એક ધ્યાન હોવું અત્યંત જરૂરી છે. મન જ્યાં સુધી અસ્થિર હશે કે ભટકતું રહેશે ત્યાં સુધી તમારી પ્રાર્થના ઈશ્વર સુધી નહીં પહોંચી શકે. પ્રાર્થના કરતી વખતે કોઈ પણ પ્રકારની ઈચ્છા, આવેશ કે અસંતુષ્ટિ હોવી જોઈએ નહીં.

પ્રાર્થનાની શક્તિ

એક સાધુ ભગવાન શ્રીકૃષ્ણનો અનન્ય ભક્ત હતો. તે વૃંદાવનમાં હંમેશાં ભગવાનની ઉપાસનામાં લીન રહેતો હતો. તે કલાકો સુધી ઊભો રહીને પ્રભુના અલૌકિક રૂપને નિહાળ્યા કરતો, પરંતુ ગિરિધર ગોપાલે તેને ક્યારેય દર્શન ન આપ્યાં. એકવાર તે ભક્તિની ધીરજ ખૂટી પડી અને હતાશામાં જોર જોરથી ભગવાનની મૂર્તિ સામે ઊભો રહીને બોલવા લાગ્યો કે, `હું બહુ મોટો પાપી છું, કદાચ તેથી જ મુરલીધરે આટઆટલી ઉપાસના કરવા છતાં પણ મને દર્શન આપ્યાં નથી. તેના કરતાં સારું છે કે હું મારા પ્રાણ ત્યાગી દઉં.’

આમ વિચારીને તે ભક્ત અંધારું થતાં જ પોતાની કુટિરમાંથી બહાર નીકળ્યો અને યમુનાજી તરફ ચાલવા લાગ્યો. તેણે મનોમન નિશ્ચય કરી લીધો હતો કે આજે તો હું યમુનાજીની પવિત્ર લહેરોમાં કૂદીને મારા પ્રાણ ત્યાગી દઈશ. આવા વિચારો કરતાં કરતાં તે યમુના તટ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યાં રસ્તામાં એક કોઢથી પીડિત વ્યક્તિએ તેના પગ પકડી લીધા. વાસ્તવમાં એ કોઢપીડિતને સ્વપ્નમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે થોડા સમય પછી અહીંથી એક ભક્ત યમુના તટ તરફ જતો મળશે. તું તેના પગ પકડી લેજે અને કહેજે કે તારો કોઢ દૂર કરી દે.

કોઢીએ પોતાના પગ પકડ્યા છે તે જોઈને ભક્તે કહ્યું, `મારા જેવા અભાગિયાના પગ શા માટે પકડો છો? કોઈ સાધુ-મહાત્માના પગ પકડશો તો તમારું કલ્યાણ થશે.’ છતાં પણ તે વ્યક્તિએ પગ ન છોડ્યા અને કહ્યું, `મારા કોઢ દૂર કરી દો. તેના માટે તમે પ્રભુને પ્રાર્થના કરશો તો મારા કોઢ જરૂર દૂર થઈ જશે.’ ભક્તે કહ્યું, `ભાઈ, જો આવું હોત તો હું આજે મારા પ્રાણ ત્યાગવા ન જતો હોત. હું ઘણાં વર્ષોથી શ્રીકૃષ્ણની આરાધના કરી રહ્યો છું, પરંતુ તેમણે આજ સુધી મને દર્શન આપ્યાં નથી, તો હવે મારી વાત ક્યાંથી માનવાના?’

કોઢી વ્યક્તિએ કહ્યું, `ભક્ત છો, તો એકવાર સાચા મનથી તેમને મારા માટે પ્રાર્થના તો કરી જુઓ. માત્ર એટલું કહો કે હે ગોપાલ, આ કોઢીના કોઢ દૂર કરી દો. પછી તમારે કશું કરવાનું નથી.’ ત્યારબાદ ભક્તે કરુણાભર્યા સ્વરમાં ભગવાનને પ્રાર્થના કરી કે, `હે બંસીધર, આ વ્યક્તિનો કોઢ દૂર કરી દો.’ આટલું કહેતાંની સાથે જ તે વ્યક્તિના કોઢ દૂર થઈ ગયા. જોતજોતાંમાં તેની કાયા નીરોગી બની ગઈ.

આ ચમત્કાર જોઈને ભક્ત આશ્ચર્યમાં પડી ગયો. તેણે યમુનામાં જઈને પ્રાણ ત્યાગવાનો વિચાર છોડી દીધો અને પોતાની કુટિરમાં પાછો ગયો. તેને મોડી રાત સુધી ઊંઘ ન આવી. સવાર થતાંની સાથે જ તે બિહારીજીનાં દર્શન કરવા મંદિરમાં પહોંચી ગયો. તેને એવું પ્રતીત થયું કે મૂર્તિ તેની સામે જોઈને સ્મિત કરી રહી છે. ભક્તે હાથ જોડીને કહ્યું, `હે, મુરારી, આ તમારી કેવી લીલા છે! તમે અનેક વર્ષો સુધી આરાધના કરવા છતાં પણ મને દર્શન નથી આપ્યાં અને આજે મને ન્યાલ કરી દીધો!’

શ્રીકૃષ્ણે કહ્યું, `તેં મારી પાસે કંઈ માગ્યું જ નથી. પહેલીવાર તેં એક દુ:ખી કોઢી વ્યક્તિને ઠીક કરવાની પ્રાર્થના કરી. તારી આરાધના કરતાં પણ તારી પ્રાર્થનામાં વધારે શક્તિ છે, તેથી મેં તારી વાત માની લીધી. ભગવાને તો ભક્તિની વાત માનવી જ પડે છે.’ આટલું સાંભળી ભક્ત ખુશ થઈને રડવા લાગ્યો અને તેને પ્રાર્થનાની શક્તિનો અહેસાસ થઈ ગયો.

પ્રાર્થના કરવાથી થતા લાભ

સાચા મનથી પ્રાર્થના કરીને જે પણ માંગવામાં આવે છે તે જરૂર મળે છે.

નિયમિત પ્રાર્થના કરવાથી મન સ્થિર અને મગજ શાંત રહે છે.

પ્રાર્થનાથી ક્રોધ, અસ્થિર મન, નકારાત્મક વિચારો પર વિજય મેળવી શકાય છે.

દરરોજ પ્રાર્થના કરવાથી સ્મરણશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

પ્રાર્થના કરવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે તથા શરીર નીરોગી બને છે.

પ્રાર્થના કરવાથી ઈશ્વર પરના વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

આરતી, પૂજા-પાઠ, મંત્રજાપ વગેરે ક્રિયાઓ જેટલી જ શક્તિ પ્રાર્થનામાં રહેલી છે.

અંત:કરણપૂર્વક પ્રાર્થના કરવાથી તમામ પ્રકારનાં સંકટો દૂર થાય છે.

પ્રાર્થના વાતાવરણને પવિત્ર બનાવે છે, તેથી જ શાળાઓમાં પ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે.

પ્રાર્થના કરનાર વ્યક્તિમાં વિનમ્રતા, સહનશીલતા, ધીરજ, પ્રેમ વગેરે જેવા ગુણો વિકાસ પામે છે.

નિયમિત રીતે પ્રભુ પ્રાર્થના કરનાર વ્યક્તિ પોતાનાં તથા અન્યનાં દુ:ખ અને સંકટો દૂર કરી શકે છે.

પ્રાર્થના વ્યક્તિને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે.

You Might Also Like

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટ

ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ

Editor By Editor 2 days ago
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?