ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચ શનિવાર (25 જાન્યુઆરી)ના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે. બુધવારે ભારતે સિરીઝની પહેલી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. કોલકાતામાં ભારતનો દબદબો રહ્યો પરંતુ બીજી મેચ પહેલા અભિષેક શર્માના પગની ઘૂંટીમાં ઈજાને કારણે ભારતીય ટીમમાં ટેન્શનનો માહોલ છે. મોહમ્મદ શમી ચેન્નાઈમાં પરત ફરે તેવી અપેક્ષા છે.


