23 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રોહિત શર્મા અને મોહમ્મદ રિઝવાન ઈચ્છશે કે ટોસ પોતાના પક્ષમાં પડે, જેનાથી ટીમનો અડધો તણાવ દૂર થઈ જશે. ચાલો અમે તમને આંકડાઓ સાથે સમજાવીએ કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ જીતનાર કેપ્ટને પહેલા બેટિંગ કરવી જોઈએ કે પહેલા બોલિંગ કરવી જોઈએ.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઝાકળ નથી, તેથી બોલરોને રાત્રે પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. રવિવારે જ્યારે રોહિત શર્મા અને મોહમ્મદ રિઝવાન ટોસ માટે આવશે, ત્યારે તેઓ પ્રાર્થના કરશે કે ટોસ તેમના પક્ષમાં પડે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. ચાલો આંકડા દ્વારા સમજીએ શા માટે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે છેલ્લી 10 મેચના આંકડાઓ પર કરીએ એક નજર
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો પણ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ જો આપણે છેલ્લા 10 મેચના આંકડા જોઈએ તો, પહેલા બોલિંગ કરનારી ટીમ 7 વખત જીતી છે. દુબઈના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 58 ODI મેચ રમાઈ છે. આમાંથી 35 મેચ પહેલા બોલિંગ કરનારી ટીમે જીતી છે. આ જોતાં એવું કહી શકાય કે દુબઈમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતની શક્યતા વધુ હોય છે.
દુબઈમાં ભારતીય ટીમનો રેકોર્ડ કેવો છે?
ભારતે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કુલ 7 ODI મેચ રમી છે. આમાંથી ભારતે 6 મેચ જીતી છે, જ્યારે માત્ર 1 મેચ હારી છે. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે 6 માંથી 5 મેચ જીતી છે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ કોને કરે છે મદદ?
દુબઈની પિચ વિશે વાત કરીએ તો તે બેટ્સમેનોને મદદ કરે છે. જોકે, સ્પિનરો અહીં મોટી ભૂમિકા ભજવે છે કારણ કે મધ્યમ ક્રમમાં રન બનાવવા મુશ્કેલ કામ છે. જો પ્રથમ બેટિંગ કરતી ટીમ 325 રન સુધી પહોંચે તો બીજી ઈનિંગમાં બેટિંગ કરતી ટીમ પર દબાણ વધારે રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં તો ભારતે જીત મેળવી લીધી છે, ભારતે બાંગ્લાદેશની ટીમ સામે 4 વિકેટ જીત મેળવી હતી.


