By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાનને થાળ શા માટે ધરાવવામાં આવે છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાનને થાળ શા માટે ધરાવવામાં આવે છે?

Last updated: 2025/02/27 at 5:22 PM
1 year ago
Share
ભગવાનને થાળ શા માટે ધરાવવામાં આવે છે?
SHARE

સદીઓથી ચાલી આવતી આપણી ધાર્મિક પરંપરાઓ પાછળ તાર્કિક તથ્યો જોડાયેલાં હોય છે. ભારતીય પરંપરા મુજબ પહેલાં આપણે ભગવાનને ભોજન ધરાવીએ છીએ અને પછી જ ભોજનને પ્રસાદરૂપે આરોગીએ છીએ. ઈશ્વરની આભાર માનવાની પ્રાર્થના કર્યા પછી ભોજન ધરાવવામાં અને કરવામાં આવે છે. ભગવાનનાં મંદિરોમાં અને અસંખ્ય ઘરોમાં દરરોજ પહેલાં ભોજન પ્રભુને ધરાવાય છે.

ધરાવેલું ભોજન બાકીના ભોજનમાં મેળવી દઈને તે પ્રસાદ તરીકે પીરસાય છે. આપણી દૈનિક પૂજામાં પણ આપણે ભગવાનને નૈવેદ્ય ધરાવીએ છીએ તે વિશે થોડું જાણીએ.

આપણે નૈવેદ્ય શા માટે ધરાવીએ છીએ?

પરમેશ્વર સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. મનુષ્ય અંશમાત્ર છે જ્યારે પરમેશ્વર સર્વ અથવા પૂર્ણ છે. આપણે જે કંઈ કરીએ છીએ તે બધું માત્ર તેની શક્તિ અને જ્ઞાન થકી જ થાય છે, તેથી આપણે કર્મ કરીને જીવનમાં જે કંઈ મેળવીએ છીએ તે ખરેખર તો માત્ર તેનું જ છે. ભગવાનને નૈવેદ્ય ધરાવવાની ક્રિયા દ્વારા આપણે આ સત્યને શિરોધાર્ય કરીએ છીએ. `જય જગદીશ હરે’ની આરતીમાં તેરા તુજકો અર્પણ એટલે `તારું જે છે તે તને અર્પણ છે’ આ વાતને સુંદર રીતે સમજાવવામાં આવી છે. ભગવાનને ધરાવીએ પછી એ અન્ન એમના દિવ્ય સ્પર્શથી પ્રસાદ બને છે, જેથી તે આરોગવાથી મન-તન સ્વસ્થ રહે છે. આ સમજીએ ત્યારે અન્ન અને જમવાની ક્રિયા પ્રત્યેનો આપણો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ભગવાનને ધરાવેલું અન્ન સ્વાભાવિક રીતે જ શુદ્ધ અને ઉત્તમ હોય, તેથી પ્રસાદનું સંપૂર્ણ માન જાળવવા માટે આપણે તેનો અનાદર નહીં કરીએ, તેની ટીકા-ટિપ્પણી નહીં કરીએ એટલે અનાજનો બગાડ થતો પણ અટકે છે. આપણે તેને પ્રસાદીરૂપે સ્વીકારીએ છીએ તેથી પ્રભુની આશિષ પણ અન્ન સાથે મેળવીએ છીએ. આપણે આ વલણને બરાબર અપનાવી લઈએ છીએ ત્યારે તે ભોજનની ક્રિયાથી આગળ વધીને આપણા સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. પછી જીવનમાં જે કંઈ મળે, સારું કે નરસું

તે તેમના પ્રસાદ તરીકે આપણે સહર્ષ સ્વીકારીએ છીએ.

આપણે રોજ જમતા પહેલાં થાળી ફરતે પાણીનો છંટકાવ કરી ભોજનશુદ્ધિ કરીએ છીએ. થાળી પાસે પાંચ કોળિયા મૂકીએ છીએ. આમ કરીને આપણા પર રહેલાં પાંચ તત્ત્વોના ઋણનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ પાંચ ઋણ છે:

દેવઋણ- દૈવિક તત્ત્વો જેમ કે, સૂર્ય, ચંદ્ર વગેરે આપણા પર કૃપા વરસાવીને આપણું રક્ષણ કરે છે.

પિતૃઋણ- પૂર્વજોનો વારસો અને કુટુંબના સંસ્કાર બદલ આપણે પિતૃઓના ઋણી છીએ.

ઋષિઋણ- જે સમાજના સહકાર વિના આપણું જીવન ટકી શક્યું ન હોત તે સમાજના સાથી બાંધવો પ્રત્યેનું ઋણ.

ભૂતઋણ- મનુષ્ય સિવાય અન્ય કોઈ જીવ જેઓ આપણી સતત સેવા કરે છે તેમના પ્રત્યેનું ઋણ.

આ પાંચ તત્ત્વોનાં ઋણને સ્વીકાર્યા બાદ આપણા દેહમાં જીવનશક્તિ રૂપે તથા જીવનપોષક પાંચ ક્રિયાઓ રૂપે રહેલા ભગવાનને ભોજન ધરાવાય છે. આ વખતે પાંચ દૈહિક ક્રિયાઓને અનુલક્ષીને `પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રહ્મણે સ્વાહા’ એ મંત્ર બોલવામાં આવે છે. આ રીતે ભોજન ધરાવવાની આપણી પરંપરા પાછળ ભગવાન પ્રત્યેની ભાવના સાથે તેનો આભાર વ્યક્ત કરવાની પણ ભાવના છુપાયેલી છે અને તેમની અમીદૃષ્ટિ પડવાથી આ સમગ્ર ભોજન પ્રસાદી બની જવાથી અન્નનો પણ ખોટો બગાડ થતો નથી. આ રીતે આપણી પરંપરા પાછળ શ્રદ્ધાની સાથે એક આગવી સમજ પણ જોડાયેલી છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
રાજકોટ

રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ

Editor By Editor 3 hours ago
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફની નિયુક્તિ હાસ્યાસ્પદ, “વ્હાલાઓ”ને જ સ્થાન અપાઈ રહ્યું છે? : મયુર શાહ
ૐદાદાના સાનિધ્યમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?