By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંત તુકારામ : સેવાભાવ દ્વારા જ ઈશ્વરને પામી શકાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સંત તુકારામ : સેવાભાવ દ્વારા જ ઈશ્વરને પામી શકાય છે

Last updated: 2025/03/13 at 8:45 AM
1 year ago
Share
સંત તુકારામ : સેવાભાવ દ્વારા જ ઈશ્વરને પામી શકાય છે
SHARE

દુનિયાના વ્યવહાર સાચવતો અને સાંસારિક જીવન જીવતો એક સાધારણ મનુષ્ય સંત કેવી રીતે બની જાય છે તે તુકારમના જીવનનનો અભ્યાસ કર્યા બાદ સમજાય છે. મનુષ્યમાં રહેલું સહજ સંવેદન જ્યારે વૈશ્વિક સંવેદન બનીને પરમ કક્ષાએ પહોંચે છે ત્યારે જ સંત શિરોમણીનું સ્થાન મળે છે.

સંત તુકારામનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમણે બાળપણનો લાડ-દુલાર પણ અનુભવ્યો હતો અને પરિવારજનોને રોગ અને ભૂખથી તડપીને મરતા પણ જોયા હતા. આ દ્વંદ્વભર્યા સંસારે જ તેમને એક અલગ જ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ આપ્યું, જે તેમને વિઠ્ઠલ સમીપ લઈ ગયું અને ભક્તકવિ બનાવી દીધા.

વિચારો, આચરણ અને વાણીનો અર્થપૂર્ણ તાલમેળ એટલે સંત તુકારામનું વ્યક્તિત્વ. તેમનું વ્યક્તિત્વ અને આચરણ જ તેમનો ઉપદેશ હતો, જે દરેક સાધારણ મનુષ્ય માટે પ્રેરણારૂપ બની ગયો.

જન્મ અને જીવન

સંત તુકારામનો જન્મ સન્ 1598માં મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં આવેલા દેહુ ગામમાં થયો હતો. તેમનું બાળપણ માતા કનકાઈ અને પિતા બેહુબાના સાંનિધ્યમાં ખૂબ જ લાડકોડમાં વીત્યું. તેમનાં લગ્ન રૂખમાબાઈ સાથે કરવામાં આવ્યાં હતાં. જીવનના સુખદ દિવસો વિઠ્ઠલની ભક્તિ કરતા વીતતા હતા, પણ બધા જ દિવસો એકસરખા નથી હોતા. કાળ કાળનું કામ કર્યે જાય છે. તુકારામ માત્ર અઢાર વર્ષના હતા ત્યારે માતા-પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. આ દુ:ખમાંથી હજુ બહાર નહોતા આવ્યા ત્યાં તો એ સમયે કારમો દુષ્કાળ પડ્યો. લોકો ભૂખથી મરવા લાગ્યા. આ સમયે તુકારામની પત્ની પણ રોગ અને ભૂખથી પીડાઈને મોતને ભેટી.

આ સમય તુકારામ માટે કસોટીકાળસમો હતો. આ સમયે તુકારામનું ધૈર્ય ખૂટી ગયું હતું. માતા-પિતાએ સાથ છોડ્યો. જીવનસંગિની પણ મોતને ભેટી. આ બધું જ જોઈને તેમનું સંવેદનશીલ હૃદય ભાંગી પડ્યું હતું. તેમની આ બધી જ ઘટના બાદ જાત પરથી, જિંદગી પરથી અને ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. આ સમયે તેઓ જિંદગીથી હાર માની ગયા હતા. આ સમયે તેમને કોઈ સહારાની જરૂર હતી. લૌકિક સહારો તો આ સમયે તેમને સધિયારો આપી શકે તેવી સરળ પરિસ્થિતિ ન હતી. તે સમયે તેમને સંત પાંડુરંગ મળ્યા. આ સમયે તેમના કોઈ ગુરુ પણ નહોતા, તેથી તેમણે જીવનનો તમામ ભાર તેમનાં ચરણોમાં મૂકી દીધો અને વિઠ્ઠલની ભક્તિમાં તેમનું મન લીન કરી દીધું.

સમય જતાં તુકારામના બીજા વિવાહ જીજાબાઈ સાથે કરવામાં આવ્યા, જે અવલી નામે પણ ઓળખાતાં. અવલીને તુકારામનો ભક્તિપૂર્ણ સ્વભાવ અને દિવસ-રાત વિઠ્ઠલની ધૂનમાં રહેવું પસંદ ન હતું, તેથી તે વારંવાર તુકારામને મેણાં માર્યાં કરતી. બીજી પત્નીથી તુકારામને ત્રણ સંતાન થયાં. મહાદેવ, નારાયણ, વિઠ્ઠોબા. વિઠ્ઠોબા સૌથી નાનું સંતાન હતા. તેમાં તુકારામના બધા જ ગુણો ઊતરી આવ્યા હતા. તે પણ પિતા તુકારામની જેમ ભક્તિમાં લીન રહેતા.

સંતના સંતત્ત્વને ઘણીવાર દુન્યવી વ્યવહારમાં મસ્ત લોકો સમજી શકતા નથી, તેથી જ તેમના જીવનમાં સંઘર્ષો આવે છે. તુકારામના પણ ઘણા કટ્ટર વિરોધી હતા, પણ તુકારામની ક્ષમાશીલતાને લીધે તે પણ અંતે તેમના ભક્ત બની ગયા હતા. પરમાર્થના માર્ગને, તેમની ભક્તિને અને ધર્મભાવથી આલોકિત કરનાર તુકારામ ઈ.સ. 1650ની ફાગણ વદ બારસના દિવસે દેવલોક પામ્યા. જોકે, તેમના નિર્વાણ વર્ષ-તિથિને લઈને અનેક મતમતાંતર છે.

તુકારામની સાહિત્ય રચના

તુકારામ કર્મકાંડથી દૂર પ્રેમાધીન ભક્તિને પ્રાધાન્ય આપતા હતા. તેમનું વિઠ્ઠલ સાથેનું એવું તાદાત્મ્ય હતું કે તેઓ ભક્તકવિ બની ગયા. તેમણે રચેલાં ભક્તિપદો એટલાં ગહન અને હૃદયસ્પર્શી હતાં કે તેનો અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. તુકારામની મોટાભાગની રચના અભંગ છંદમાં જ છે. તેમના દરેક અભંગ સૂત્રબંધ છે. થોડા શબ્દોમાં મહાન અર્થને વ્યક્ત કરવાનું તેમનું કૌશલ્ય મરાઠી સાહિત્યમાં અદ્વિતીય છે, તેથી જ કદાચ તુકારામના આત્મનિષ્ઠ અભંગવાણી જનસાધારણને પણ પરમ પ્રિય લાગે છે. આ સિવાય તેમણે રૂપકાત્મક રચના પણ કરી છે. જે બધાં જ રૂપક કાવ્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે. તેમની રચનામાં અલંકાર અને શબ્દ ચમત્કાર નથી, પણ તેમની દરેક રચના સાંભળનાર કે વાંચનારને સીધેસીધું હૃદયસ્થ થઈ જાય છે. તેમની રચનાની એક ખાસિયત હતી કે રચનાની અંતે તુકારામે એટલે કે તુકાએ કહેલું તેમ લખતા. તેમણે કુલ કેટલાં પદો રચ્યાં તેનો ઉલ્લેખ ઈતિહાસમાં નથી મળતો, પણ તેમનું પ્રકાશિત પુસ્તક ઈ.સ.18૭૩માં બહાર પડ્યું, જે પુસ્તકમાં ૪60૭ પદોને સંકલિત કરવામાં આવ્યાં છે. તુકારામ આપણી વચ્ચે નથી, પણ તેમણે લખેલાં ગીતો આજેય લોકોના હોઠે રમે છે. તેમની ભક્તિપ્રધાન રચના દ્વારા તેમણે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ચલાવ્યું હતું.

વર્કરી સંપ્રદાયના પ્રણેતા

તેમનું એક અલગ જ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ હતું. તેઓ કર્મકાંડ ને પદાર્થ કરતાં સૂક્ષ્મભાવને ભક્તિમાં વધુ પ્રાધાન્ય આપતા હતા, તેથી તેમણે તેમના વિચારો અને ભક્તિ સાધનાની પ્રણાલી પ્રમાણે વર્કરી સંપ્રદાય બનાવ્યો. આ સંપ્રદાયનો ઉદ્દેશ મનુજને પરમાત્મા સાથે જોડવાની સાથે સામાજિક સેવા કરવાનો પણ હતો.- ઘનશ્યામ ગોસ્વામી

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 5 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?