કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ 2025 ની પહેલી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ પર વરસાદનો પડછાયો પણ મંડરાઈ રહ્યો છે.
કોલકાતામાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે બંને ટીમોના પ્રેક્ટિસ સેશન કરી શકી ન હતી. મેચ દરમિયાન પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પછી મોટો સવાલ એ છે કે મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે કે નહીં?
મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે?
એક્યૂવેધરના રિપોર્ટ મુજબ, મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને કારણે મેચ રદ પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, જો વરસાદને કારણે મેચ રદ્દ થાય છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.
મેચ પહેલા હવામાન સ્વચ્છ
KKR અને RCB ચાહકો માટે સારા સમાચાર એ છે કે મેચ પહેલા કોલકાતામાં હવામાન હવે સ્વચ્છ દેખાઈ રહ્યું છે. દિવસ દરમિયાન થોડો સમય સૂર્ય પણ દેખાતો હતો. આ પરિસ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેન્સ આખી મેચ જોઈ શકશે.
પોતાની 400મી T20 મેચ રમશે વિરાટ કોહલી
કોહલી KKR સામેની મેચમાં RCB વતી રમશે કે તરત જ તેના નામે એક ખાસ સિદ્ધિ નોંધાઈ જશે. આ વિરાટનો 400મો T20 મેચ હશે. વિરાટ પહેલા બે ખેલાડીઓએ 400 થી વધુ T20 મેચ રમી છે, જેમાં રોહિત શર્મા અને દિનેશ કાર્તિકનો સમાવેશ થાય છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 448 T20 મેચ રમી છે અને દિનેશ કાર્તિકે 412 T20 મેચ રમી છે.


