મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, BCCI એ બુધવારે IPL મેચ અંગે કેટલાક ખાસ નિર્ણયો લીધા છે. 23 એપ્રિલે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ શરૂ થઈ, ત્યારે બંને ટીમોના કેપ્ટનોએ આ ઘટનાની સખત નિંદા કરી. આઈપીએલની મેચો ચાલી રહી છે, પરંતુ આ સમય દરમિયાન પહેલાની મેચોની જેમ ગાવાનું અને નાચવાનું કોઈ આયોજન થશે નહીં.
પેટ કમિન્સે પણ પહેલગામમાં થયેલા હુમલાની કરી નિંદા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આતંકવાદી હુમલા અંગે, BCCI એ દિવસ દરમિયાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યારે મેચ રમાશે, ત્યારે બંને ટીમોના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ ઘૃણાસ્પદ કૃત્ય સામે પોતાનો વિરોધ નોંધાવશે. જ્યારે હાર્દિક પંડ્યા અને પેટ કમિન્સ ટોસ કરવા આવ્યા ત્યારે તેમના હાથ પર કાળી પટ્ટી બાંધેલી હતી.
આ દરમિયાન, જ્યારે પેટ કમિન્સ ટોસ માટે આવ્યા, ત્યારે તેમને તેમની ટીમ વિશે વાત કરી, જેમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, અને તેમને પહેલગામના આક્રમણ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. પહેલગામ આતંકવાદી હુમલા અંગે પેટ કમિન્સે કહ્યું કે આ આપણા માટે પણ ખૂબ જ દુઃખદ બાબત છે. અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. તેમણે એમ પણ કહ્યું કે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ શમીની જગ્યાએ જયદેવ ઉનડકટને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પેટ કમિન્સે હુમલાની કરી સખત નિંદા
આ સંદેશ તે પરિવાર સુધી પહોંચાડવા માંગું છું, જેમને આ આતંકી હુમલામાં તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમે આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરીએ છીએ, અને અમારી આખી ટીમ તેની નિંદા કરે છે. અમે બધા પીડિતો અને દેશની સાથે ઉભા છીએ.
હાર્દિક પંડ્યાએ પણ વ્યક્ત કર્યું દુ:ખ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી પહેલા પહેલગામ વિશે વાત કરી. તેને કહ્યું કે સૌ પ્રથમ તેઓ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગે છે. અમે એક ટીમ અને ફ્રેન્ચાઈઝી તરીકે આવા કોઈપણ હુમલાની નિંદા કરીએ છીએ. હાર્દિક પંડ્યાના ચહેરા પરના હાવભાવ સ્પષ્ટપણે દર્શાવતા હતા કે તે આખી ઘટનાથી ખૂબ જ દુઃખી છે. હાર્દિક પંડ્યા, જે સામાન્ય રીતે હંમેશા હસતો રહે છે, તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે પહેલગામની ઘટના જોવી તે દર્દનીય છે. ફક્ત સનરાઈઝ ટીમ જ નહીં, પરંતુ બધા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તરફથી, જેને ભારતમાં ખૂબ જ સ્નેહ અને પ્રેમ મળ્યો છે. અમે બધા પીડિતો, તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી પ્રાર્થના અને સંવેદનાઓ બધા અસરગ્રસ્તો સાથે છે. આ પછી તેને કહ્યું કે આજે તેની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અશ્વિની કુમારની જગ્યાએ વિગ્નેશ પુથુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોઈ ચીયરલીડર્સ નહીં અને કોઈ ડાન્સ નહીં
તમને જણાવી દઈએ કે BCCI એ બુધવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે મેચ દરમિયાન ચીયરલીડર્સ જોવા મળશે નહીં. મેદાનમાં જે મ્યુઝિક વાગે છે અને જે નૃત્ય થાય છે, એવું કંઈ થશે નહીં. આ બધું પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આઈપીએલ ચાલી રહી છે, પરંતુ આ મેચ માટે એટલો ઉત્સાહ નથી જેટલો અગાઉની મેચો માટે હતો.


