22 એપ્રિલ 2025ના રોજ જ્યારે પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે દરેક ભારતીયની આંખો લાલ થઈ ગઈ. પછી બધાના મનમાં પ્રશ્ન એ હતો કે ભારત પાકિસ્તાનને ક્યારે કડક પાઠ ભણાવશે.
આ પછી, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કરીને પાડોશી દેશને કડક સંદેશ આપ્યો. બધા ક્રિકેટરોએ ભારતીય સેનાને પ્રોત્સાહન આપ્યું, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુની એક પોસ્ટથી ચાહકો નારાજ થયા. તે પોસ્ટ બાદ પ્રશંસકોએ તેમની ટિકા કરી. ત્યારબાદ અંબાતી રાયડુએ ટ્વિટ કરી કહ્યું કે હું ભારતીય સેનાની સાથે છું અને હું વિચારી પણ નથી શકતો કે સરહદ પર આપણા સૈનિકો પર શું વિતી રહી હશે. અને દરેક સૈનિકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આવી રીતે તેના એક પોસ્ટ બાદ તેની નિંદા થતા તેને તે શબ્દો બદલ્યા અને કહ્યું કે આપણે ભારત નફરતમાં નહીં, પરંતુ ન્યાયનો વિજય થવો જોઈએ. ત્યારબાદ રાયડુ કહે છે કે, આપણે એક એવો રાષ્ટ્ર છીએ જ્યાં લોકો શાંતિ ઇચ્છે છે, પરંતુ આપણી સુરક્ષા કે સન્માનના ભોગે નહીં. અને આ સમયે હું એવી આશા રાખું છું કે સરહદ પર રહેતા આપણા સૈનિકોને આ દુ:ખનો સમયનો જલ્દીથી અંત આવે.
રાયડુની કઈ પોસ્ટથી ચાહકો ગુસ્સે થયા?
આ પહેલા રાયડુએ ગુરુવાર, 8 મેના રોજ ‘X’ પર પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે,આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દે છે. ન્યાય મક્કમ રહેવો જોઈએ, પરંતુ માનવતાને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. આપણે આપણા દેશને ઉગ્ર પ્રેમ કરી શકીએ છીએ અને હજુ પણ આપણા દિલમાં દયા રાખી શકીએ છીએ. દેશભક્તિ અને શાંતિ સાથે રહી શકીએ છે. તેમણે આ પોસ્ટ કર્યા પછી, પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલ હુમલા શરૂ થઈ ગયા હતા. જ્યાં ભારતીય દળોની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. રાયડુની આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકો ગુસ્સે ભરાયા અને સોશિયલ મીડિયા પર તેને જોરદાર ઠપકો આપ્યો.


