ફેમસ સિંગર શંકર મહાદેવન IPL 2025ની ફાઈનલ મેચની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સેના માટે એક ખાસ સંગીતમય પર્ફોમન્સ આપવા જઈ રહ્યો છે. આ પર્ફોમન્સમાં તેના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ પણ તેમની સાથે જોડાશે. આ ઈવેન્ટ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગ્લુરુ અને પંજાબ વચ્ચેની ફાઈનલ મેચ પહેલા યોજાશે.
ફાઈનલમાં પરફોર્મ કરશે શંકર મહાદેવન અને તેના પુત્રો
શંકર મહાદેવનના પુત્ર શિવમ મહાદેવને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે “કાલે ફાઈનલમાં મળીશું. આ એક મોટું સન્માન છે! #IPLFINAL #TRIBUTE #SSSLIVE #IPL.”
પહલગામ આતંકવાદી હુમલાને કારણે એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી IPL
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું. આ ઓપરેશનમાં ભારતે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
instagram.com/p/DKY3UDeBrf_/?utm_source=ig_embed&ig_rid=fa6e7363-043b-499d-9b0e-d02ef736cd8a
આ પછી પાકિસ્તાને એલઓસી અને સરહદી વિસ્તારોમાં ગોળીબાર અને ડ્રોન હુમલા કર્યા હતા. જેના જવાબમાં ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલો કર્યો, જેનાથી તેમના રડાર, સંદેશાવ્યવહાર કેન્દ્રો અને એરફિલ્ડને નુકસાન થયું હતું. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવા માટે એક સહમતિ થઈ.
IPLને મળશે એક નવો વિનર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. મેચ 17 મેના રોજ મેચ ફરી શરૂ થઈ અને ફાઈનલની તારીખ 25 મેથી બદલીને 3 જૂન કરવામાં આવી.
આ વખતે IPLને એક નવો વિનર મળશે કારણ કે બેંગ્લુરુ અને પંજાબ બંને પહેલી વાર ફાઈનલમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.