ઘણા વર્ષો પછી આરસીબીએ આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી હતી. ટીમે આ જીતની ખુશીમાં ચિન્નાસ્વામી સ્ટેડીયમની બહાર ગ્રાન્ડ સેલિબ્રેશનની તૈયારીઓ કરી હતી. પરંતું સ્ટેડિયમની બહાર ભાગદોડ થવાને કારણે 11 લોકોના મોત નિપજ્યા હતા. આવું થયા બાદ આરસીબીની વિરુધ્ધમાં એફઆરઆઈ નોંઘવામાં આવી છે. આ સાથે ઘણા લોકોની ઘરપકડ પણ કરવામાં આવી છે.
સવાલ એ નથી કે આના માટે કોઈને જવાબદાર ગણવામાં આવશે કે નહીં. પણ સવાલ એ છે કે આ ઘટનાનું પરિણામ શું આવશે. આ દુર્ઘટનના કેન્દ્રમાં આરસીબી છે અને આઈપીએલ 2026માં આરસીબીના બેનની ચર્ચાએ સોશિયલ મિડીયા પર પર જોર પકડ્યું છે. આરસીબી, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘની વિરુદ્ધમાં એફઆરઆઈ નોંધવામાં આવી છે. આ ઘટના અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
એવામાં બીસીસીઆઈ સામે ખુબ મોટો સવાલ છે કે જો આ ગેરજવાબદારીમાં આરસીબીનું નામ સામે આવ્યું તો તેઓ આગળ શું નિર્ણય લેશે. જો તપાસ એજન્સી આરસીબીના મેનેજમેન્ટને સીધુ આ ગેરજવાબદારી સાથે જોડે છે તો બીસીસીઆઈને ન્યાય માટે અને લીગની વિશ્વાસનિયતા જાળવી રાખવા માટે આરસીબી પર મોટી કાર્યવાહી કરવી પડી શકે છે, જેમાં તેના પર અમુક સમય સુધી બેન પણ લાગી શકે છે.