કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટ સંબંધિત સમસ્યાના કારણે તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. સુત્રો દ્વારા મળતી માહિતી ડોક્ટરની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો કે હજુ સુધી હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
1 અઠવાડિયા પહેલા પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે આ પહેલા 7 જૂને તેમને નિયમિત મેડિકલ તપાસ માટે શિમલાની ઈન્દિરા ગાંધી મેડકિલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ બાદ રજા આપવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ તેમને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીને તાજેત્તરના વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. થોડા મહિનાઓ પહેલા પણ તેમને પેટ સંબંધિત બિમારીને લઈને દાખલ કરવામાં આવ્યા હતા.
પુત્રી પ્રિયંકાના નિવાસ સ્થાને તબિયત લથળી હતી
મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી રજાઓમાં એમની પુત્રી પ્રિયંકાના છરાબડા ખાતે નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં અચાનક તેમને શારીરિક તકલીફ થવાનું શરૂ થયું હતું. તબિયત ખરાબ થતાં તેમને ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ECG અને MRI જેવા રિપોર્ટ પણ કર્યા હતા. હાલમાં, ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. નિયમિત તપાસ પછી, સોનિયા ગાંધી હોસ્પિટલથી કાફલા સાથે નીકળી ગયા હતા.