ઈંગ્લેન્ડ સામે શરૂ થતી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ તેની તૈયારીઓને મજબૂત બનાવવા માટે એક ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમી. આ પ્રેક્ટિસ મેચમાં ભારત A અને ભારતીય સિનિયર ટીમના ખેલાડીઓ આમનેસામને હતા.
આ મેચમાં સૌથી વધુ ચર્ચા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની થઈ, જેને પોતાની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
બેટ્સમેન તરીકે ચમક્યો શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુર જે સામાન્ય રીતે પોતાની ઝડપી બોલિંગ માટે જાણીતા, તે વખતે બેટિંગમાં બેટિંગમાં ચમક્યો. તેને પ્રેક્ટિસ મેચમાં 122 રનની શાનદાર ઈનિંગ્સ રમી અને પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી. આ પ્રદર્શનથી તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમવાનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે.
શાર્દુલ ઠાકુરે મેચના બીજા દિવસે બેટિંગ શરૂ કરી અને 10 બોલમાં 19 રન બનાવીને અણનમ પાછો ફર્યો. આ પછી છેલ્લા દિવસે તેને પોતાની ઈનિંગ્સ લંબાવી અને વિરોધી બોલરોને જોરદાર રીતે ફટકાર્યા. તેની સદી દર્શાવે છે કે તે માત્ર બોલર જ નથી, પરંતુ જરૂર પડ્યે બેટથી પણ ટીમને મજબૂત બનાવી શકે છે.
2023 બાદ પહેલીવાર ટેસ્ટમાં કરી વાપસી
શાર્દુલ ઠાકુરે 2023 થી કોઈ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેનું આ પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમવા માટે ઊંડા બેટિંગ લાઈનઅપની જરૂર હોય છે અને શાર્દુલ તે જરૂરિયાત પૂરી કરી શકે છે. કોચિંગ સ્ટાફ અને કેપ્ટન હવે શાર્દુલને એક વિશ્વસનીય ઓલરાઉન્ડર તરીકે જોઈ શકે છે જે મુશ્કેલ સમયમાં રન બનાવી શકે છે અને વિકેટ લઈ શકે છે.
ભારતીય ટીમ માટે નવી શરુઆત
આ વખતની ટેસ્ટ સિરીઝ ભારત માટે એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે કારણ કે ટીમ રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર અશ્વિન વગર મેદાનમાં ઉતરશે. કેપ્ટનશીપની જવાબદારી હવે શુભમન ગિલના ખભા પર છે, અને આ સિરીઝ દ્વારા તે 2007 પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે.