ઈરાનમાં ફસાયેલા નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને બહાર કાઢવામાં ભારત મદદ કરશે, ઓપરેશન સિંધુ અંતર્ગત ભારત પોતાની સાથે બે દેશોના લોકોને ઈરાનમાંછી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ કરશે. ભારતે આ કામ એવા સમયે કર્યું છે, જ્યારે ચીન દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સાથે નવુ ગઠબંધન તૈયાર કરી રહ્યું છે. ભારતીય દૂતવાસના જણાવ્યા પ્રમાણે નેપાળ અને શ્રીલંકા સરકારની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ભારતના પાડોશી દેશ છે.
દૂતવાસે જાહેર કર્યો ટેલિફોન નંબર
ભારતીય દૂતવાસે જણાવ્યું હતું કે તેઓ શ્રીલંકા અને નેપાળની પણ મદદ કરશે. બંને દેસોની સરકારે ઓપરેશન સિંધુ અંતર્ગત પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની ભલામણ કરી છે. ભારતીય દૂતવાસે તેના માટે એક ફોન નંબર જાહેર કર્યો છે. દૂતવાસના આ નંબર પર સંપર્ક કરવાવાળા લોકોને પહેલા વેરિફાય કરવામાં આવશે. ત્યારબાદ તેને ઓપરેશન સિંધુ અંતર્ગત પરત લાવવામાં આવશે.
નેપાળના કુલ 16 નાગરિકો ઈરાનમાં ફસાયા
નેપાળ વિદેશ મંત્રાલયના કહ્યા અનુસાર ઈરાનમાં 16 અને ઈઝરાયલમાં તેના 5500 નાગરિક હજી ફસાયેલા છે. નેપાળ સરકારે જણાવ્યું હતું કે તેના 5 નાગરિકોને જેલમાં રાખવામાં આવ્યા છે. જેમની પર આંતરાષ્ટ્રીય તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. નેપાળ સરકારે પોતે આ નાગરિકો માટે કાર્યવાહી કરી હતી પણ કોઈ પરિણામ મળ્યું નહીં.
શ્રીલંકાના ઘણા લોકો પણ ઈરાનમાં ફસાયેલા છે. જેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ દર વર્ષે 12000 શ્રીલંકાના નાગરિકો ઈરાન ફરવા માટે જાય છે.