૨૫ નવેમ્બરના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભવ્ય અને દિવ્ય ધ્વજારોહણ સમારોહ સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગ માટે સમગ્ર રામ નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચશે અને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ખાસ પૂજા કરશે અને ધ્વજવંદન કરશે. તેમનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે સપ્ત મંદિર ખાતે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે રામ લલ્લા મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવશે.


