ભૂકંપના ભયંકર ઝટકાથી અલાસ્કા અને કેનેડા બોર્ડર પર ધરતી કાંપી ઉઠી. ભૂકંપ કેનેડાના યુકોન અને અલાસ્કાના યાકુટાટમાં આવ્યો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જોકે, ભૂકંપમાં કોઇ જાનમાલનો નુકસાન પહોંચ્યુ નથી. પરંતુ ભૂકંપ બાદ લોકોએ આશરે એક બાદ એક 20 આફ્ટર શોકનો અનુભવ કર્યો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
બોર્ડર પર વસ્યા છે 2 શહેર
રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ભૂકંપની પુષ્ટિ કરી. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ અલાસ્કાના જૂનોથી આશરે 230 માઇલ દૂર ઉત્તર પશ્ચિમમાં અને યુકોનના વ્હાઇટહોર્સથી 155 માઇલ દૂર પશ્ચિમમાં આવ્યો છે. ભૂકંપ અલાસ્કાના જ યાકુટાટથી આશરે 56 માઇલ દૂર આવ્યો હતો.જ્યાં આશરે 662 લોકો વસવાટ કરે છે. ધરતીની 10 કિલોમીટર નીચે ઉંડાઇથી ભૂકંપના તરંગો આવ્યા હતા.
દર વર્ષે આવે છે આવા ભૂકંપ
નાસાના રિપોર્ટ પ્રમાણે કેનેડા અલાસ્કા બોર્ડર પર દર વર્ષે આશરે 7 થી 8ની વચ્ચે 18 મોટા ભૂકંપ આવ્યા છે. તો વર્ષમાં એક વખત 8 થી વધારેની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના કેન્દ્રની સૌથી નજીક કેનેડાઇ સમુદાઇના હેન્સ જંકશન છે. જે કેન્દ્રથી આશરે 80 માઇલ દૂર છે. યુકોન સાંખ્યિકી અનુસાર અહિયાની વસવાટની સંખ્યા 1018 છે. જે સમુદ્રના કિનારે વસેલા વિસ્તારમાનુ એક છે.


