દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરીઝમાં શાનદાર જીત મેળવ્યા બાદ, હવે ભારતીય ટીમ ફટાફટ ક્રિકેટ એટલે કે T20 ફોર્મેટમાં પોતાનો દબદબો જાળવી રાખવા સજ્જ છે. મંગળવારે ઓડિશાના કટક ખાતે બંને ટીમો વચ્ચે પાંચ મેચની સીરીઝનો પ્રથમ મુકાબલો રમાશે. જોકે, આ મેચમાં ચાહકોને એક નવી ટીમ જોવા મળશે કારણ કે રોહિત-કોહલી સહિતના 7 મુખ્ય ખેલાડીઓ ટીમનો ભાગ નથી.બીજી તરફ, યુવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની સેનામાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર શુભમન ગિલની વાપસીથી ટીમ મજબૂત બની છે
કટકના બારાબતી સ્ટેડિયમમાં
હવે મંગળવાર 9ડિસેમ્બરના રોજ બંને ટીમો કટકના ઐતિહાસિક બારાબતી સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે ટોસ ઉછાળવામાં આવશે અને બરાબર 7.00કલાકે મેચનો પ્રારંભ થશે. T20 વર્લ્ડકપની તૈયારીઓના ભાગરૂપે આ સીરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વન-ડેના 7 સ્ટાર ખેલાડીઓ બહાર
વન-ડે સીરીઝમાં જે ખેલાડીઓએ ધૂમ મચાવી હતી તેવા ૭ ખેલાડીઓ આ T20 સીરીઝમાં જોવા નહીં મળે. જેમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા, રન મશીન વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટે વર્કલોડ મેનેજમેન્ટ અને નવા ખેલાડીઓને તક આપવા માટે આ નિર્ણય લીધો હોય તેમ જણાય છે.
શુભમન ગિલ ફિટ,હાર્દિકની એન્ટ્રી
ભારતીય ટીમ માટે સૌથી રાહતના સમાચાર એ છે કે સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે સંપૂર્ણ ફિટ છે અને તે પ્રથમ મેચમાં અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરે તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પુનરાગમનથી ટીમના મિડલ ઓર્ડર અને બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર માટે ‘પ્લેઈંગ ઈલેવન’માં વિકેટકીપરની પસંદગી માથાનો દુખાવો બની શકે છે. સંજુ સેમસન અને જીતેશ શર્મા બંને દાવેદાર છે, ત્યારે કોને તક મળે છે તે જોવું રસપ્રદ રહેશે.
પ્રથમ T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11 :અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા/સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ/વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ,હર્ષિત રાણા.
આ પણ વાંચો -Suryakumar Yadav તોડશે રોહિતનો રેકોર્ડ! SKY પાસે ઈતિહાસ રચવાનો મોકો


