By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાત્રીના ૧ર વાગ્યા બાદ સાઉન્ડ વગર ગરબા રમવાની છુટ: લોકલાગણીનો પડઘો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

રાત્રીના ૧ર વાગ્યા બાદ સાઉન્ડ વગર ગરબા રમવાની છુટ: લોકલાગણીનો પડઘો

agragujaratnews
Last updated: 2023/10/29 at 11:25 AM
2 years ago
Share
રાત્રીના ૧ર વાગ્યા બાદ સાઉન્ડ વગર ગરબા રમવાની છુટ: લોકલાગણીનો પડઘો
SHARE
  • સમાજ જુદા જુદા વય જુથમાં વહેંચાયેલો છે : યુવાનોનો ઉત્સાહ અને વડિલોની ચિંતાનું સહઅસ્તિત્વ છે

  • બહુમતી વર્ગ રોજીંદા તનાવમાંથી મુકત થવા તહેવારોની ઉજવણી કરવામાં માને છે

ગઇ કાલે આપણા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. જેમાં નવરાત્રી પર્વમાં રાત્રીના બાર વાગ્યા બાદ ગરબી અને ગરબા રમતાં લોકોને સાઉન્ડ વગર રમવાની છુટ આપી છે. એટલું જ નહી પોલીસ આવા ગરબી કે ગરબીના આયોજન બંધ ન કરાવે તેવી પણ સૂચના આપી છે. આ નિર્ણયને ખાસ કરીને યુવા વર્ગ અને ઉત્સવપ્રેમી જનતાએ એક અવાજે આવકાર્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદ હતી કે જયારે જયારે હિન્દુઓના પર્વ આવે ત્યારે કોર્ટ,પોલીસ અને અન્ય સરકારી તંત્ર નિયમ પાલન માટે અતિસક્રિય થઇ જાય છે. મતલબ કે હિન્દુ તહેવારોની જાહેર ઉજવણીમાં તંત્ર બેરોકટોક પોતાની મનમાની કરી શકે છે.

થોડા સમય પૂર્વે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ખુદ ભાજપ પ્રેરિત ગણેશ મહોત્સવમાં પોલીસ અધિકારીઓએ રાત્રીના દસ વાગ્યે જ ઉત્સવ બંધ કરાવવા સતાનો જે શો કર્યો હતો તે ચર્ચાસ્પદ બન્યો હતો. આ સમયે ભાજપના શહેર પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં ઉપસ્થિત હતાં છતાં તેમને નમતું જોખવુ પડયુ હતું તેની કાર્યકરોમાં ભારે ટીકા થઇ હતી.

નવરાત્રીમાં દસ વાગ્યા બાદ ગરબાના આયોજન હોય ત્યાં પોલીસ આવી જ સક્રિયતાથી ધસી જતી હતી. સુપ્રિમ કોર્ટનો હવાલો આપી સાઉન્ડ વગેરે બંધ કરાવી દેતી હતી. વેલકમ નવરાત્રીના કાર્યક્રમમાં પોલીસની ચોકકસ ગ્રુપ ઉપર આવી તવાઇ આવી હતી. જયારે વગદાર લોકો પાસે ન ફરકયા હોવાની ફરિયાદો હતી. પણ ઘંટડી બાંધવા કોણ જાય.

આવી વ્યાપક ફરિયાદો માત્ર રાજકોટમાં જ નહિ સમગ્ર ગુજરાતમાં હતી. આથી જ ગૃહ રાજયમંત્રી અને કાયદા મંત્રી હર્ષ સંઘવીએ ગઇ કાલે જાહેરાત કરી કે રાત્રીના ૧ર વાગ્યા બાદ સાઉન્ડ વગર ગરબી રમતા લોકોને રમવાની છુટ આપવી.પોલીસ તેને બંધ ન કરાવે.

આ નિર્ણયને ચોમેર આવકાર મળ્યો. છુટપુટ વિરોધ થાય એ અપેક્ષીત હોય છે. કારણ કે ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ બન્યો છે. ગુજરાતમાં ગીત,સંગીત,સામુહિક ઉજવણી અને કલા અભિવ્યકિતનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી બની ગયો છે. ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની કલ્ચર અને ગુજરાતના ગરબાને વૈશ્વીક સ્તરે પ્રોજેકટ કરી રહયા છે.

વિશ્વમા બ્રાઝિલનો મહોત્સવ હોય કે ટોમેટીનો હોય. લોકઉત્સવમા તંત્ર વ્યવસ્થામાં હોય છે. ઉત્સવમા લોકોની સવલતો વધે એ માટે તમામ પ્રકારની મદદ કરતાં હોય છે. એ તહેવાર માત્ર લોકોનો નથી હોતો. સરકાર અને તંત્ર પણ તેને મદદરૂપ થતાં હોય છે. પરંતુ આપણે ત્યાં તંત્ર અને અધિકારીઓની અતિ સક્રિયતાને કારણે આવા ઉત્સવોના આયોજકો વગેરેને તંત્ર પાસે આજીજી અને લાચારી કરવી પડતી હોય છે. કોઇ પણ ઉત્સવનું આયોજન આયોજક માટે સ્ટ્રેસફુલ બની જાય છે. એકલ દોકલ અધિકારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીના નામે રંગમાં ભંગ પાડી શકે છે.

હર્ષ સંઘવીના નિર્ણયને ચોમેરથી આવકાર મળ્યો છે ત્યારે છુટ્ટા છવાયા સૂરોમાં તેનો વિરોધ પણ થયો છે. હિન્દુ ધર્મના તહેવારો કે ઉત્સવોમાં આમ પણ આવુ થતું રહે છે. પરંતુ યુવાનોને ઉત્સવપ્રેમીઓને આ નિર્ણયથી ચોકકસ આનંદ થયો છે. સમાજમાં હંમેશા વડિલોની ચિંતા અને યુવાનોનો ઉત્સાહનું સહઅસ્તિત્વ રહયુ છે. પરંતુ બન્નેનું બેલેન્સ કરી તહેવારોની ઉજવણી થવી જોઇએ.

તહેવારો જીવનના બ્લેક એન્ડ વ્હાઇટ દિવસોને કલરફુલ બનાવે છે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
રાષ્ટ્રિય

Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક

By 6 days ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
Hepatitis Diseases : તાવ આવવો, ભૂખ ના લાગવી કયાંક હેપેટાઇટિસ બીમારીનો નથી સંકેત, જાણો લક્ષણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?