દુનિયામાં અલગ અલગ દેશો અને પ્રાંતમાં અલગ અલગ રિવાજો જોવા મળે છે. લગ્ન વિધિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં પણ રાજ્ય અને રાજ્યની અંદર પણ લગ્ન વિધીઓમાં ભીન્નતા જોવા મળે છે. આવામાં ઘણા રીત રિવાજ અને લગ્ન વિધિ એવી હોય છે કે જેને જાણીને તમને નવાઈ લાગશે. આ સાથે મનમાં સવાલ પણ થાય કે, આવું કેમ?
આવી જ એ લગ્ન વિધિ ગોવામાં જોવા મળે છે. ગોવાને તમે સુંદર દરિયા કિનારા અને પર્યટન સ્થળ તરીકે ચોક્કસથી જાણતા હશો, પરંતું ગોવાની સંસ્કૃતિ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો અને બોલશે, એવું તો ના હોય. ગોવામાં સાઓ જોઆઓ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન વરરાજાને કુવા કે તળાવમાં ધક્કો મારી દેવામાં આવે છે. આ જાણીને તમારા મનમાં એક સવાલ ચોક્કસથી થશે, પણ આવું કેમ?
શું છે સાઓ જોઆઓ તહેવાર?
સાઓ જોઆઓ તહેવારની ઉજવણી પાછળ સાંસ્કૃતિ અને ધાર્મિક માન્યતા જોડાયેલી છે. ઉત્તર ગોવામાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. મુખ્ય રીતે આ તહેવાર પાણી સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ પર આધાર રાખે છે. આ તહેવાર પર સ્થાનિક લોકો સેન્ટ જોન ધ બૈપટિસ્ટની યાદમાં પાણીમાં ડૂબકી લગાવે છે. આ સાથે સ્થાનિક લોકો નાચ-ગાન કરીને પણ આ તહેવારની ઉજવણી કરે છે.
વરરાજાને પાણીમાં ફેંકવાનું કારણ
સ્થાનિક લોકોનું માનવું છે કે, પાણીમાં ડૂબકી મારવાથી વરરાજાના જીવનમાં સમૃદ્ધિ અને નવા પરિવારમાં ખુશીઓ આવે છે. આ સાથે તેમની આવનારી પેઢીને આશીર્વાદ મળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, આનાથી નવા સંબંધની શરૂઆતના શુભ સંકેત મળે છે.
https://x.com/TourismGoa/status/1938200569635868981/video/1
વરરાજાની સહનશક્તિની પરીક્ષા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પરંપરાના માધ્યમથી છોકરીવાળાને વરરાજાનો સ્વભાવ, તાકાત અને મસ્તીખોર અંદાજ તેમજ પરિવારમાં હળીમળી જવાની ક્ષમતાને સમજવાની તક મળે છે.ગોવાની સંસ્કૃતિમાં પાણીમાં કુદવાને સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. આના લોકો માટે છે કે, વરરાજા નવા પરિવાર અને સમુદાયમનો સ્વીકાર મુક્ત મને કરી શકે છે. ભારતમાં આ તહેવાર મુખ્ય રીતે ઉત્તર ગોવાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. સાઓ જોઆઓ પોર્ટુગલીમાં સેન્ટ જોનને કહેવામાં આવે છે. ભારતમાં આ તહેવાર જૂન માસમાં ઉજવવામાં આવે છે.


