વર્ષ 2025માં અનેક એવાં મુદ્દાઓએ પક્ષ-વિપક્ષ આમને સામને આવી ગયા હતા. એસઆઇઆરથી લઇને નીતિશ કુમારનો હિજાબ વિવાદ કે પછી રાહુલ ગાંધીના વિદેશની ધરતી પરથી ભારત વિરોધી નિવેદનો જેણે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
1. SIR અને ઘુસણખોરોનો મુદ્દો
ટાઇમલાઇનઃ જાન્યુઆરી-ડિસેમ્બર 2025
શું થયુ?
2025ની શરૂઆતમાં ચૂંટણી આયોગે અનેક રાજ્યોમાં special intensive revision (SIR)ની પ્રક્રિયા શરૂ કરી. આ આખા વર્ષનો રાજકીય મુદ્દો બન્યો. ખાસ કરીને બિહાર ચૂંટણીમાં અને ત્યાર બાદ અન્ય રાજ્યોમાં. સરકાર અને ભાજપા નેતાઓનું કહેવુ હતુ કે આનો હેતુ નકલી મતદારો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના નામ દૂર કરવાનો હતો.
મુખ્ય નિવેદન
ભાજપના નેતાઓનો દાવોઃ મતદાર યાદીમાં ઘુસણખોરોના નામ છે, લોકશાહીને શુદ્ધ કરવી જરૂરી છે.
વિપક્ષ (કોંગ્રેસ, સપા, આરજેડી) SIRના નામે ગરીબો, દલિતો અને લઘુમતીઓના મત કાપવામાં આવી રહ્યા છે.
મોટો મુદ્દો કેમ બન્યો?
લોકશાહી અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સીધો સંઘર્ષ.
ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર રાષ્ટ્રીય ચર્ચા
2.લાલુ પરિવારનો વિવાદ
ટાઇમલાઇનઃ જાન્યુઆરી-નવેમ્બર 2025
શું થયું?
2025ની શરૂઆતમાં લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને RJD માંથી હાંકી કાઢ્યા, જે પરિવારની સંપત્તિ અને રાજકીય વારસાથી વિદાય સૂચવે છે.
શા માટે ઉભો થયો વિવાદ?
તેજ પ્રતાપ યાદવે આને અપમાન ગણાવ્યું અને ખુલ્લેઆમ બળવો કર્યો.તેમણે જાહેર કર્યુ, હું કોઇની જાગીર નથી, મારા રાજકીય નિર્ણયો જનતા નક્કી કરશે. ત્યાર બાદ તેમણે એક અલગ પક્ષ બનાવવાનો અને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો, જોકે તેઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા.
વાર્તા અહીં અટકી નહોતી….
ચૂંટણી પછી સૌથી મોટો ભાવનાત્મક વળાંક આવ્યો. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય અચનાક પોતાના પિતાથી દૂર થઇ ગઇ.તેણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ શેર કરી જેમાં
પરિવારમાં અન્યાય
માનસિક વેદના
અને સત્તા માટે સંબંધોનું બલિદાન આપવાના ગંભીર આરોપોના સંકેતો હતા, કોઇના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પરંતુ લક્ષ્યો સ્પષ્ટ હતા.
શા માટે મહત્વપૂર્ણ?
કારણ કે આ વિવાદ દર્શાવે છે કે સત્તાના રાજકારણમાં પરિવારો પણ બચી શકતા નથી.
3. RG Kar Medical કેસ અને બંગાળ વિરુદ્ધ કેન્દ્ર
ટાઇમલાઇનઃ ફેબ્રુઆરી-એપ્રિલ 2025
શું થયું?
કોલકાતાના RG Kar Medical કોલેજમાં વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો.આ મામલો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણમાં પરીણમ્યો. કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી અને હોસ્પિટલ, વહીવટી અધિકારીઓની પૂછપરછ કરી. ભાજપના નેતાઓએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા.
મમતા બેનર્જીનું નિવેદનઃ દિલ્હીથી બંગાળને નિયંત્રિત કરવામા પ્રયાસો થઇ રહ્યા છે. આ સંઘીય માળખા પર હુમલો છે.
ભાજપનો વળતો પ્રહારઃ રાજ્ય સરકાર અરાજકતા ફેલાવવા છૂટ આપી રહી છે, રાષ્ટ્રપતિ શાસન છેલ્લો વિકલ્પ હોઇ શકે છે.
શા માટે મહત્વપૂર્ણ?
રાજ્યોના અધિકારો વિરુદ્ધ કેન્દ્રની સત્તા
રાષ્ટ્રપતિ શાસનના ડરથી રાજકારણ ગરમાયું
4. રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા નિવેદનો, ટુ ઇન્ડિયા થિયરી
ટાઇમલાઇનઃ ફેબ્રુઆરી-સપ્ટેમ્બર 2025
શું થયું?
રાહુલ ગાંધીએ ભારતમાં બે પ્રકારના નાગરિક હોવાની વાત કરી.
વિદેશમાં લોકશાહી અને સંસ્થાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા
શા માટે વિવાદ?
ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ભારતની છબી ખરાબ કરી રહ્યા છે.
એનડીએ નેતાઓએ તેને એન્ટી નેશનલ નેરેટિવ ગણાવી.
રાજકીય અસર?
રાહુલ વિપક્ષનો મુખ્ય ચહેરો બની ગયા.
શહેરી યુવાનો કોંગ્રેસને ટેકો આપે છે, પરંતુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ઘેરાયેલા છે.
ભાજપનો જવાબઃ વિદેશમાં ભારતની છબી ખરાબ કરવી એ રાજદ્રોહ છે.
રાહુલનો જવાબઃ સત્ય બોલવું એ રાજદ્રોહ નથી.
5.’I Love Muhammad’VS ‘I Love Mahadev’ યોગી સરકાર
ટાઇમલાઇનઃ માર્ચ-ઓગસ્ટ 2025
શું થયું?
ઉત્તરપ્રદેશમાં જાહેર સ્થળોએ આઇ લવ મોહમ્મદ અને આઇ લવ મહાદેવ જેવા ધાર્મિક સૂત્રો અને પોસ્ટરો દેખાયા, વહીવટી તંત્રએ તેમને દૂર કર્યા અને કાર્યવાહી કરી. જેનાથી રાજકીય ચર્ચા શરૂ થઇ.
શા માટે વિવાદ થયો?
વિપક્ષે આ કાર્યવાહીને ધાર્મિક ભેદભાવ ગણાવી હતી.જ્યારે સરકારી સમર્થકોએ કહ્યુ હતું કે સાંપ્રદાયિક તણાવ અટકાવવા માટે આ જરૂરી હતું.
યોગી સરકારનું વલણઃ સીએમ યોગી આદિત્યનાથ- ‘કાયદા-વ્યવસ્થાથી ઉપર કોઇ નારો નથી’
શા માટે મહત્વપૂર્ણ?
આ વિવાદ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાજ્ય સત્તા વચ્ચેની રેખા પર મોટો સવાલ ઉભો કરે છે.
6. વક્ફ બિલ વિવાદ
ટાઇમલાઇનઃ એપ્રિલ-જૂન 2025
શું થયું ?
સરકારે વક્ફ મિલકતોના સંચાલનમાં સુધારા માટે એક નવું બિલ રજૂ કર્યુ. આ બિલનો હેતુ દુરૂપયોગ અટકાવવા અને પારદર્શિતા વધારવાનો છે. મુસ્લિમ સંગઠનો અને વિપક્ષે આ બિલને ધાર્મિક સંસ્થાઓમાં સરકારી દખલગીરી ગણાવીને ટીકા કરી હતી.
વિવાદ કેમ વધ્યો?
સમર્થકોઃ આ બિલ વક્ફ મિલકતોના દુરૂપયોગને અટકાવશે.
વિરોધીઓઃ સરકાર ધર્મમાં દખલ કરી રહી છે.
મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ચર્ચા વધુ તીવ્ર બની અને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા.
સરકારનો જવાબઃ વક્ફ મિલકતોનું રક્ષણ કરવામાં આવશે અને તેને પારદર્શક બનાવવામાં આવશે.
શા માટે મહત્વપૂર્ણ?
લઘુમતી અધિકારો વિરુદ્ધ વહીવટી નિયંત્રણ.
7. જાતિગત જનગણના
ટાઇમલાઇનઃ એપ્રિલ-ઓક્ટોબર 2025
શું થયું?
ઘણા રાજ્યોએ 2025માં જાતિગત વસ્તી ગણતરીની માંગણીને વધુ તીવ્ર બનાવી છે અને દલીલ કરી છે કે જૂનો ડેટા વર્તમાન સામાજિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતો નથી. કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે વ્યાપક રાજકીય અને સામાજિક સર્વસંમતિ જરૂરી છે.
સર્મથકોની દલીલઃ સર્મથકો કહે છે કે સચોટ ડેટા વિના સામાજિક ન્યાય અને સમાન નીતિ શક્ય નથી.
વિરોધ શા માટે?
વિરોધીઓ માને છે કે જાતિ આધારિત ગણતરી સમાજને વધુ વિભાજીત કરશે અને ઓળખની રાજનીતિને વધુ તીવ્ર બનાવશે.
શા માટે મહત્વપૂર્ણ?
કારણકે આ મુદ્દો અનામત, કલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યની નીતિઓની દિશા સીધી રીતે નક્કી કરે છે.
8. અપશબ્દ વાળી રાજનીતિ નિવેદન અને જવાબ
ટાઇમલાઇનઃ જૂન-નવેમ્બર 2025
શું થયુ?
દરભંગામાં રાહુલ ગાંધીના મતાધિકાર અભિયાન દરમિયાન, કેટલાક કોંગ્રેસ કાર્યકરોએ પીએમ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા પર અપશબ્દો બોલ્યા. જેનો વીડિયો વાયરલ થયો હતો.
કેમ વિવાદ વધ્યો?
સ્ટેજ પર રાહુલ, પ્રિયંકા અને તેજસ્વીના પોસ્ટર હતા. ભાજપે આને રાજકીય શિષ્ટાચારનો ભંગ ગણાવ્યો અને FIR દાખલ કરી.
મોદીનો જવાબઃ મારી માતાને ગાળો આપીને મને નબળો પાડી નહીં શકાય.
શા માટે મહત્વપૂર્ણ?
ચૂંટણી રાજકારણમાં ભાષા અને લોકશાહી સંસ્કૃતિનું ગૌરવ જાળવવું મહત્વપૂર્ણ છે.
9. મનરેગા બિલથી VB GRAMG સુધીની કહાની
ટાઇમલાઇનઃ ડિસેમ્બર 2025
શું થયું?
કેન્દ્ર સરકારે મનરેગા માટે માળખાકીય ફેરફારો અને નવા નામ કે મોડેલની માગ કરી છે. વિપક્ષે સરકાર પર ગ્રામીણ ગરીબો માટેની સૌથી મોટી યોજનાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.
પ્રિયંકા ગાંધીનું નિવેદનઃ નામ બદલવાનો આ ક્રેઝ મને બિલકુલ સમજાતો નથી….
સરકારનું વલણઃ નવી સિસ્ટમ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે.
શા માટે મહત્વપૂર્ણ?
ગ્રામીણ ભારત વિરુદ્ધ શહેરી નીતિ
રોજગાર અને સ્થળાંતરનો પ્રશ્ન
10. નીતિશ કુમાર-હિજાબ વિવાદ
ટાઇમલાઇનઃ ડિસેમ્બર 2025
શું થયું?
બિહારમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન હિજાબ પહેરેલી મહિલા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. આરોપ લાગ્યા હતા કે નીતિશ કુમારે તેનો હિજાબ હટાવ્યો હતો.
વિપક્ષનો આરોપઃ આ મુસ્લિમ મહિલાઓના ગૌરવ અને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે.
સામાજિક સંગઠનો અને કેટલાક રાજકીય પક્ષોએ તેને મહિલાઓના અધિકારો અને ધર્મની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.
નીતિશ કુમારનું વલણઃ મારો હેતુ કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.
શા માટે મહત્વપૂર્ણ?
ધાર્મિક સ્વતંત્રતા અને મહિલાઓના અધિકારો
બિનસાંપ્રદાયિક રાજકારણની પરીક્ષા
આ પણ વાંચોઃ વર્ષ 2025માં પૈસાથી જોડાયેલા આ 5 મોટાં નિયમ લાગુ, જેણે તમારાં ખિસ્સા પર પાડી સીધી અસર…..


