By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભજન ખુદ કરો, અન્યોને ભોજન કરાવો : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભજન ખુદ કરો, અન્યોને ભોજન કરાવો : મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/06 at 4:58 PM
2 months ago
Share
ભજન ખુદ કરો, અન્યોને ભોજન કરાવો : મોરારિબાપુ
SHARE

ભજન ખુદ કરો, અન્યોને ભોજન કરાવો : મોરારિબાપુ

ગ્રંથમુખી હોય તે વિધ્વાન હોય, ગુરૂમુખી હોય તે બુધ્ધ પુરૂષ હોય છે

પંગતભેદ કરે એની કદી સંગત ન કરવી

તપસ્વી હોય એ તેજસ્વી હોય છે

 

ભારતીય તપસ્વી સૃંગિરિષના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સૃંગિરિષ’ના  ત્રીજા દિવસે ગઇકો કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે આદી જગદગુરૂ શંકરાચાર્યજીનો એક શ્લોક હું લાવ્યો છું, આ શ્લોક તમે સૌ પણ બોલજો…

શ્રવણાત મનનાત ધ્યાનાત

તાત્પર્યેણ નિરંતરમ!

 

બૃધ્ધેહિ સુક્ષ્મત્વમ આયાતિ તતો વસ્તુ ઉપલબ્ધયતે આ શ્લોકમાં શંકરાચાર્યજીએ કથા સાંભળવાની, તત્પરતાથી સાંભળવાની અને કથા સાંભળવાથી સર્વ ઉપલબ્ધીઓ મળે છે એની વાત કરી છે. મને એક શ્રોતાએ પ્રશ્ન પૂછયો છે કે બાપુ, હું પંદર વર્ષથી આપની કથા સાંભળું છું. આપની પાસે કદી આવ્યો નથી. કથા સાંભળવાનું પરિણામ શું? જવાબ: કથા સાંભળવાથી જીવનનો અર્થ એટલે કે પૈસા નહીં! પણ જીવનનો અર્થ સમજાય છે, નાની-મોટી કામનાઓ પૂર્ણ થાય છે અથવા કામના મુકત થશો અને કથા આપણને સૌને સાચા અર્થમાં સર્વ બંધનોથી મુકત કરે છે. માટે નાનકદેવ કહે છે એમ ખૂબ સાંભળો, સાંળો…કબીર પણ કહે છે સુનો ભાઇ સાધો શ્રવણનો ખૂબ મોટો મહિમા છે અને શ્રવણ કર્યા પછી એનું મનન કરવું અને એ પછી ધ્યાન કરવું હું પોતે કથા સાંભળું છું, હું જોઉ છું, સમજું છું કે મારી ખામીઓ કેટલી દૂર થઇ? સત્ય, પ્રેમ, કરૂણાનું જે ત્રિસૂત્ર છે એને ઉલટું કરી વાંચીએ તો પ્રથમ કરૂણા પ્રથમ કરૂણાનો જન્મ થાય છે. કુબધ્ધિ જડ છે, બૃધ્ધિના જુદા-જુદા પડાવ છે. સુમતિને શિખર પર પ્રજ્ઞા છે. પ્રજ્ઞા સુક્ષ્મ છે. પરમાત્માની કથા જે સાંભળે છે એની જડમતિ-જડબૃધ્ધિ ધીરે-ધીરે સુક્ષ્મ થાય છે.

અંધારાનું પણ એક અજવાળું હોય છે. જે લોકો ગામડામાં રહ્યા છે અથવા તો રહે છે અને ખ્યાલ હશે જ કે અંધકારનો પણ અંજવાસ હોય છે. વિશ્વની મહાનતમ-પરમ ઘટનાઓ અંધકારમાં જ જન્મી છે. અહીં જે પરમ ઘટના ઘટી છે તે અંધારામાં જ ઘટી છે. માના ગર્ભમાં પણ અંધકાર છે. અંધકારથી પ્રકાશમાં બાળક અવતરિત થાય છે, ચેતના પ્રગટે છે. ભગવાન કૃષ્ણ કારાગારમાં જન્મ્યા, પોતે પણ કાળા, અમારા કવિ કાગ બાપુ લખે છે!

કાળી કાળી કોટડીને વાન એનો કાળો

તે દી એને અંગડે વીંટાળા કાળા અંધકારો

હે, દેવકીમાં તારો દીકરો…

અજવાળું માણસને આંજી નાંખે છે, નીજતા સૌથી મોટી સુરક્ષા છે. દિવાલમાં, ઇંટોની વચ્ચેથી કુંપળ ફૂટતી હોય છે અને એ કુપળમાં એક નાનકડું ફૂલ ખે છે. એ ફૂલ પોતાની નીજતામાં જ જીવે છે એને પવન, તડકો કે વરસાદ નથી નડતો! ગમ્મે તેટલો વાયુ વિંઝાય, વાવાઝોડું કે વરસાદ પડે તો પણ એ ફૂલને કશું થતું નથી. એક વખત બાજુમાં ગુલાબ ના છોડમાં ઉગેલા ગુલાબને જોઇને એને પણ મન થયું કે ભગવાન, મને ગુલાબ બનાવે તો! એણે ઇશ્વરને પ્રાર્થના કરી કે, મને ગુલાબ બનાવો, ભગવાને કીધું કે ભાઇ તું તત્વતા બંધન જ છે! દરેક સાથે પ્રામાણિક અંતર રાખવુ જોઇએ. ખૂબ નજીક જવાથી સમસ્યાઓ આવે છે માટે કોઇપણ સંબંધમાં પ્રામાણિક અંતર રાખવું જોઇએ.

કથાએ પંચાગ્નિ છે. એ પંચઅગ્નિ એટલે વિવેકનો અગ્નિ (૨) કથાએ યોગ નહીં વિયોગાગ્નિ છે. કથા વિરહ પેદા કરે છે માટે કથા એ વિરહાગ્નિ છે. કથા વિરદ પેદા કરે છે માટે કથા એ વિરહાગ્નિ છે. (3) હનુમાનજી હનુમંતતત્વ અગ્નિ છે (૪) ગુરૂ સ્વયં અગ્નિ છે. ગુરૂ સાક્ષાત યજ્ઞપુરૂષ છે, યજ્ઞ છે ત્યાં અગ્નિ છે એમ (પ) જ્ઞાનાગ્નિ, જ્ઞાનનો અગ્નિ, ઘણી વખત જ્ઞાન પણ ભારરૂપ છે એવું જ્ઞાન અગ્નિમાં સ્વાહા થવું જોઇએ. હું મોટે ભાગે યજ્ઞકુંડ પાસે બેસું છું. ગતકથા (તિરૂપતિ)માં હું જતો રહ્યો, યજ્ઞકુંડ પાસે ન આવ્યો. તો પછી યજ્ઞકુડ પાસે રહેલા કેટલાક ગ્રંથો, તણખો લાગ્યો હશે અને બળી ગયાં! મને થયું આ જ્ઞાનાગ્નિમાં જ્ઞાનગ્રંથો ખાખ થઇ ગયાં! આવું પણ બને! એક વખત વિદેશની કથામાં અમારા ગ્રંથોપ, પોથીજી વગેરેની એક બેગ કોઇ લઇ ગયું! આખ્ખી બેગ જ ચોરાઇ ગઇ! તો બાપ, કથા પંચગ્નિ છે. કથામાં પાંચ પ્રકારના અગ્નિ છે. ઘણા તપસ્વીઓ પંચાગ્નિનો ધૃણો કરે છે.

 

કથામૃત

(૧) દરેક નગરમાં આ પાંચ શાળા હોવી જોઇએ

(૧) સંસ્કૃતપાઠશાળા, (૨) ભોજનશાળા, (3) ગૌ શાળા, (૪) વ્યાયામ શાળા, (૫) ધર્મશાળા

(૨) સમગ્ર પ્રકૃતિ પુરૂષ પ્રધાન નથી સ્ત્રીપ્રધાન છે

(3) મોટા ભાગના આપણા શાસ્ત્રો એ માતૃસ્વરૂપ છે

(૪) દરેક સંબંધ તત્વત: બંધન છે

(૫) વિષમ પરિસ્થિત એ જ વિષ (ઝેર) છે, રામનામથી વિશ્રામ મળશે

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 5 days ago
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?