સૌરાષ્ટ્ર યુનિ.માં એક દિવસીય સેમિનાર
મહિલાઓની સમાનતા, સુરક્ષા અને સમાજમાં સ્ત્રીશકિતકરણના મહત્વ પર ભાર મૂકાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજ કાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા Gender Resource Centre, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત “Gender Sensitization, Nutrition & POSH Awareness” વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીએ પોતાના ઉદબોધનમાં મહિલાઓની સમાનતા, સુરક્ષા તથા સમાજમાં સ્ત્રીશક્તિકરણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને લિંગ સંવેદનશીલ સમાજ રચવાની જરૂરિયાત પર માર્ગદર્શન આપ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના અધિકારી મહેન્દ્રભાઈ મકવાણાએ વિધાર્થીઓને “જેન્ડર, જાતિગત સમાનતા અને વિકાસ”અંગે વિસ્તૃત અને માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. ડૉ. રશ્મિબેન ઓઝા, પૂર્વ અધ્યક્ષ, કાયદા ભવન, બોમ્બે યુનિવર્સિટી (મહારાષ્ટ્ર) દ્વારા ભારતીય બંધારણમાં સમાનતાના સિદ્ધાંતના સંદર્ભમાં મહિલાઓના અધિકારો અને the PoSH Act ૨૦૧૩ અંગે મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
સમાજ કાર્ય ભવનના અધ્યાપક ચાંદનીબેન મહેતાએ પોષણયુક્ત આહાર અને યુવાનોના સ્વાસ્થ્ય વિષય પર ઉપયોગી માહિતી આપી હતી. ઉપરાંત ડૉ. મહેશભાઈ તથા ડૉ. યજ્ઞેશભાઈ જોશી દ્વારા વિષય અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ ડૉ. રાજુભાઈ દવેએ સેમિનારની રૂપરેખા રજૂ કરી તથા અતિથિઓનું શબ્દિક સ્વાગત કરતાં મહિલાઓ સામેના ભેદભાવ અને હિંસા – માનવ અધિકારના સંદર્ભમાં વિસ્તૃત માહિતી આપી હતી.
સેમિનારનું સંપૂર્ણ સંચાલન ડૉ. પ્રિતેશભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે ડૉ. પરેશભાઈ સરસિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં સમાજશાસ્ત્રના ડૉ. રાકેશ બેદી, ડૉ. નવીન શાહ, અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. આનંદ ચૌહાણ, કાયદા ભવનના અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. મોલીયા, ડૉ. ડામોર તથા ડૉ. શ્રદ્ધાબેન બારોટ સહિત વિવિધ ભવનોના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત વિવિધ કોલેજોમાંથી શાંતિનિકેતન કોલેજમાંથી પૂર્વી મેડમ, કણસાગરા કોલેજમાંથી નેહાબેન ચૌહાણ, ગ્રેસ કોલેજમાંથી જયભાઈ ચાવડા, હરિવંદના કોલેજમાંથી પરાગભાઈ ઝાલા અને આબીદભાઈ, માતૃમંદિર કોલેજમાંથી વૈશાલી મેડમ, મહર્ષિ અરવિંદો કોલેજમાંથી મિતેષભાઈ તેમજ સુરભી અને શિપ્રા કોલેજમાંથી સંજયભાઈ સહિત અન્ય પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારને સફળ બનાવવા માટે સમાજ કાર્ય ભવનના ફિલ્ડવર્ક ઓફિસર હિરલબેન રાવલ, બીનાબેન રાવલ, ચાંદનીબેન ઇસ્લાનિયા તથા સમાજ કાર્ય ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં વિવિધ ભવનોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો.


