By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન

Editor
Last updated: 2026/07/29 at 2:08 PM
5 hours ago
Share
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
SHARE

અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન

જ્યારે ભક્તિનો ઝણકાર અને શ્રદ્ધાનો ટંકાર થાય, ત્યારે જ અંબે માતાજીના આશિષનો દિવ્ય રણકાર થાય છે : મેહુલભાઈ રવાણી

મા જગદંબાની કૃપા વિના કોઈ સાધના પૂર્ણ થતી નથી : આચાર્ય બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અંબે માતા ભારતીય સનાતન સંસ્કૃતિની શ્રદ્ધાનો શક્તિશાળી સ્તંભ છે. અંબે માતા કરુણા અને શક્તિનું પ્રતીક છે. એક તરફ પુરુષાર્થની શક્તિ, બીજી તરફ માતૃશક્તિની કૃપા—આ બંને સાથે હોય, તો જીવનમાં કોઈ પણ સંકટ અઘરું રહેતું નથી. ત્યારે રંગીલું રાજકોટ અંબે માતાની ભક્તિના રંગે રંગાયું જયારે એક અનોખો, અલૌકિક અને આત્માને સ્પર્શી જાય એવો કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” યોજાયો.

સ્વ.કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા મેહુલભાઈ રવાણી દ્વારા સદ્ગુરુદેવ પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી આયોજિત અલૌકિક અને દિવ્ય કાર્યક્રમ ‘માઁ અંબા જગદંબાનો મહિમા’ રાજકોટના અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે શ્રદ્ધા અને ઉલ્લાસસભર વાતાવરણમાં ભવ્ય રીતે સંપન્ન થયો છે. ભક્તિની શક્તિ અને સેવાના આ મહાપર્વમાં 800થી વધુ ધર્મપ્રિય નાગરિકોએ ઉપસ્થિત રહી ભક્તિરસ, મધુર સંગીત અને આધ્યાત્મિક ધ્યાનનો દિવ્ય અનુભવ માણ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજની આ પવિત્ર રાત્રિ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ, લાગણી, સન્માન અને સંપૂર્ણ સમર્પણનો પાવન મહોત્સવ છે. આવી દિવ્ય ક્ષણોમાં મનુષ્ય પોતાના અહંકારને ભૂલીને માત્ર માતાના ચરણોમાં શરણાગતિ સ્વીકારે છે. તે સમયે અંતરના ઊંડાણમાંથી એક જ પ્રાર્થના સહજ રીતે પ્રગટે છે—’હે મા, મારી ભાવભક્તિ સ્વીકારી લેજો, મારા જીવનને આપના આશીર્વાદથી પવિત્ર અને કલ્યાણમય બનાવજો.’ સાચી ભક્તિનો સાર પણ આ જ છે કે ભક્ત પાસે માંગવા માટે કંઈ ન હોય, માત્ર માતાના ચરણોમાં સમર્પિત થવાની ભાવના હોય.

કાર્યક્રમના વિશેષ આધ્યાત્મિક આકર્ષણરૂપે મેહુલ મહેન્દ્રભાઈ રવાણીના માર્ગદર્શન હેઠળ દિવ્ય ધ્યાન અને મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક સાધના દરમિયાન ઉપસ્થિત સૌ ભક્તજનો ભાવવિભોર બની મા જગદંબાના ચરણોમાં લીન થયા હતા. ભાવ-ધ્યાન અને વૈદિક મંત્રોના પવિત્ર ઉચ્ચારણોથી સમગ્ર વાતાવરણ દિવ્ય ચૈતન્ય, આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું, જેના પરિણામે ઉપસ્થિતોએ અંતરમાં શાંતિ, આત્મિક પ્રસન્નતા અને માતાજીની કૃપાનો અલૌકિક અનુભવ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મેહુલભાઈ રવાણીના આગ્રહને માન આપી આચાર્ય બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુએ મા જગદંબાની પવિત્ર ‘શક્રાદય સ્તુતિ’ અત્યંત ભાવભક્તિપૂર્વક રજૂ કરી હતી. તેમના વૈદિક ઉચ્ચારણ અને ભક્તિરસથી ઓતપ્રોત સ્વરે સમગ્ર સભાગૃહમાં દિવ્ય આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત ભક્તજનો સ્તુતિના પાવન સ્વરો સાથે ભક્તિભાવમાં લીન થઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.

આ સાથે વંશીકાબેન, પ્રિયાબેન અને સલોનીબેન શિંગાળાએ માતાજીની સ્તુતિ કરતું ભાવસભર નૃત્ય કર્યું હતું. આયોજકોના મતે આ પહેલ માત્ર કાર્યક્રમનો એક ભાગ નહોતો, પરંતુ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિક પરંપરાથી જીવંત રીતે જોડવાનો સકારાત્મક પ્રયાસ હતો.

આ કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય આચાર્ય બાલકૃષ્ણભાઇ રાજયગુરૂએ મા અંબાની ભાવવાહી સ્તુતિ અત્યંત ભક્તિભાવપૂર્વક રજૂ કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા અને ભક્તિરસનો દિવ્ય સંચાર થયો હતો. આ સાથે તેમણે 9 જેટલા ભૂદેવોના સમૂહ સાથે સંપૂર્ણ વિધિ વિધાનથી આદ્યશક્તિ માં જગદંબાની શ્રદ્ધાપૂર્વક મહાપૂજા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સનાતન સંસ્કૃતિનું સમગ્ર આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાન વેદોમાં સમાયેલું છે. આપણે ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ તેમજ વિવિધ દેવી-દેવતાઓના સ્વરૂપ, મહિમા અને ઉપાસનાની પરંપરાને વેદોના જ આધારે ઓળખીએ છીએ. વેદો જ આપણને દિવ્ય શક્તિના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને જીવનને ધર્મ તથા સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.

કાર્યક્રમ દરમિયાન જાણીતા લોકસાહિત્યકાર જયેશ બારોટે લોકસાહિત્યની અમૃતવાણી દ્વારા સૌને ગુજરાતી લોકસંસ્કૃતિના વૈભવનો રસાસ્વાદ કરાવ્યો હતો.

આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો તરીકે જીમીભાઈ અડવાણી, પ્રશાંતભાઈ શાહ તથા હર્ષિલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન મેહુલ એમ. રવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોલીબેન મેહુલભાઈ રવાણી, વત્સલ મેહુલભાઈ રવાણી તથા અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ટીમ દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, કલાકારો અને ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેડિકલ, જન ઔષધી સહિત ૯૨ પેઢીમાં દરોડા, ત્રણ સીલ
રાજકોટ

મેડિકલ, જન ઔષધી સહિત ૯૨ પેઢીમાં દરોડા, ત્રણ સીલ

Editor By Editor 5 days ago
SGVP ગુરુકુલ રીબડા મહાઅભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
સોના-ચાંદીમાં ફરી ચમક, ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો; શેરબજારમાં જોરદાર તેજીનો પ્રારંભ
વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં
પ્રેમપ્રકરણ મામલે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?