લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન
રાષ્ટ્રીય રસાયણ શાસ્ત્ર દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોષ્ટ પુરસ્કૃત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્ષ, રાજકોટ ખાતે ભારતના મહાન રાસાયણવિદ્દ આચાર્ય પ્રફુલચંદ્ર રૉય જેઓએ બેંગાલ કેમીકલ્સ નામથી દેશના પ્રથમ સ્વદેશી ઉદ્યોગની સ્થાપના કરી હતી તેઓના જન્મદિવસ – 2 ઓગસ્ટ ના રોજ રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગને અનુસંધાને તારીખ 2 ઓગસ્ટ 2026 ને રવિવારના રોજ સવારના 10:30 વાગ્યે રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસે રાજકોટના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગુણવંતભાઈ દુધાગરા જેવો રોહડિયમ માસ્ટરના ઉદ્યોગ પ્રણેતા છે. તેના હસ્તે લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો.રમેશભાઈ ભાયાણી લિખિત “ભારતના મહાન રસાયણવિદ” પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ઉપરાંત તેઓ નોબલ ધાતુઓના ઉદ્દીપક બનાવે છે તેના રસાયણ ઉદ્યોગમાં વપરાશનું માર્ગદર્શન પણ આવશે. તે ઉપરાંત વિવિધ રહોડિયમ, પ્લેટિનમ, ઇરીડિયમ, પેલેડિયમ જેવી ધાતુઓમાંથી તૈયાર કરેલા ઉદીપકોનું નિર્દેશન કરશે.
આ પ્રસંગે સિનિયર જીઓલોજીસ્ટ એન્જીનીયર જીતેશભાઇ પંડિત, ભૌતિકશાસ્ત્ર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ ડૉ. મિહિર જોષી, ISCB ના પ્રેસીડેન્ટ અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. અનામિક શાહ, ઈસરો ના પૂર્વ સાયબર સિક્યોરિટી હેડ હરેશભાઇ ભટ્ટ ઉપસ્થિત રહેશે. પુસ્તક વિમોચન પ્રસંગે વિજ્ઞાન પ્રેમીઓને તેમજ પુસ્તક પ્રેમીઓને આમંત્રિત કરવામાં આવેલ છે.


