By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/06/29 at 4:05 PM
1 hour ago
Share
ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો
SHARE

ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો

વેરાવળના 65 વર્ષીય વૃદ્ધ પાસેથી 14.95 લાખની રોકડ, સોના-ચાંદીના ઢાળિયા અને ઘરેણાં મળ્યાં; બિલ કે આધાર-પુરાવા ન મળતાં રેલવે પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી નિયમિત ચેકિંગ દરમિયાન એક વૃદ્ધ મુસાફર પાસેથી આશરે રૂ. 59.27 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવતા સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે. મુસાફરની બેગમાંથી મોટી માત્રામાં સોના-ચાંદીના ઢાળિયા, સોનાના દાગીના અને રૂ. 14.95 લાખની રોકડ મળી આવી હતી. જોકે આ તમામ માલસામાન અંગે કોઈ પ્રકારના બિલ, ખરીદીના દસ્તાવેજો કે કાયદેસર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા વૃદ્ધે પોતાની ઓળખ રસિકલાલ છોટાલાલ જગડા (ઉંમર 65), રહે. તપેશ્વર મંદિર રોડ, સંતકૃપા સાગરકુંજ, જુના કુંભારવાડા, વેરાવળ તરીકે આપી હતી. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે તેઓ વેરાવળના કેટલાક સોની વેપારીઓ પાસેથી સોનું, ચાંદી અને રોકડ મેળવી રાજકોટના દાગીના બનાવતા વેપારીઓ સુધી પહોંચાડવાનું કામ કરતા હતા અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. જોકે આ વ્યવહાર કાયદેસર રીતે નોંધાયેલો હતો કે નહીં, તેમજ તેમાં કરચોરી કે અન્ય કોઈ ગેરરીતિ તો નહોતી ને, તે મુદ્દે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પશ્ચિમ રેલવે અમદાવાદના અધિક્ષક પરીક્ષિતા રાઠોડના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલવે પોલીસ દ્વારા રેલવે પરિસરમાં મિલકત સંબંધિત ગુનાઓ અને શંકાસ્પદ હિલચાલ અટકાવવા માટે વિશેષ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીઆઈ એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી. જે. જાડેજા અને કે. યુ. વાળાની દેખરેખમાં પોલીસની ટીમ ભક્તિનગર રેલવે સ્ટેશન પર સઘન તપાસમાં વ્યસ્ત હતી. તે દરમિયાન રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી ઉતરેલા એક વૃદ્ધ મુસાફરની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેની પાસે રહેલી બેગની તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બેગમાંથી અંદાજે રૂ. 34.50 લાખના સોનાના ટુકડા, રૂ. 4.42 લાખનો ચાંદીનો ઢાળિયો, રૂ. 3.60 લાખનું સોનાનું બ્રેસલેટ, રૂ. 1.50 લાખનું બેલ્ટ પ્રકારનું સોનાનું બ્રેસલેટ તેમજ રૂ. 14.95 લાખની રોકડ મળી આવી હતી. આ રીતે કુલ રૂ. 59.27 લાખનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો.
પોલીસે વૃદ્ધ પાસે મળી આવેલા સોના-ચાંદી અને રોકડ અંગે ખરીદીના બિલ, માલિકીના પુરાવા અથવા કોઈ સત્તાવાર દસ્તાવેજોની માંગણી કરી હતી. પરંતુ તેઓ કોઈ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેના પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106 હેઠળ સમગ્ર મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. પોલીસને મળેલા પ્રાથમિક સંકેતો મુજબ વેરાવળના કેટલાક સોની વેપારીઓ દ્વારા સોનાના ઢાળિયા અને અન્ય કિંમતી ધાતુઓ રાજકોટમાં દાગીના બનાવવા માટે મોકલવામાં આવતા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં રસિકલાલ જગડા મધ્યસ્થી તરીકે કામ કરતા હતા અને માલ પહોંચાડવાના બદલામાં કમિશન મેળવતા હોવાનું જાણવા મળ્યું છે.
હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ વ્યવહારો કાયદેસર રીતે નોંધાયેલા હતા કે નહીં. ખાસ કરીને માલ સાથે બિલ કે ટેક્સ સંબંધિત દસ્તાવેજો ન મળતાં કરચોરીની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આથી રેલવે પોલીસે સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને સમગ્ર વ્યવહારની નાણાકીય અને કરવેરા સંબંધિત વિગતો પણ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન એએસઆઈ હર્ષદભાઈ મેસવાણીયા, ઘનશ્યામભાઈ ચાવડા તથા કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કતારિયા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન તેમની સતર્ક નજરને કારણે લાખો રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપાયો હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં પોલીસે કબ્જે કરાયેલા સોના-ચાંદી અને રોકડનો મૂળ માલિક કોણ છે, તેની ખરીદી અને હેરફેર કાયદેસર રીતે થઈ હતી કે નહીં, તેમજ સમગ્ર વ્યવહારમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસાઓ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ

 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ

મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન
રાજકોટ

વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન

Editor By Editor 6 days ago
ઉપલેટાના પાનેલી ગામના ફુલઝર ડેમ પાસેથી રૂ.૧.૧૫ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો
ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?