By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજય સરકાર એકશનમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજય સરકાર એકશનમાં

Editor
Last updated: 2026/07/15 at 3:43 PM
10 hours ago
Share
SHARE

ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજય સરકાર એકશનમાં

બાળરોગ નિષ્ણાંતો માટે ગાઇડલાઇન જાહેર, શંકાસ્પદ દર્દીઓને સીધી મોટી હોસ્પિટલોમાં રીફર કરવા કિલનિક અને આરોગ્ય કેન્દ્રોને આદેશ

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં ચાંદીપુરા વાયરસના પ્રકોપને કારણે ભારે ફફડાટ ફેલાયો છે. આ જીવલેણ વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 3 બાળકોના મોત નીપજ્યા છે અને અન્ય 4 બાળકો હાલ વેન્ટિલેટર પર જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. વાયરસના અચાનક વધેલા કેસોને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. સમગ્ર રાજ્યમાં હાઈ-એલર્ટ જાહેર કરીને દેખરેખ અને નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરી દેવામાં આવી છે.

રેતીની માખી એટલે કે સેન્ડફ્લાય દ્વારા ફેલાતો આ ચાંદીપુરા વાયરસ (CHPV) ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવે છે અને તેના કારણે દર્દી એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ એટલે કે મગજના ગંભીર સોજાનો ભોગ બને છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 1 જુલાઈથી અત્યાર સુધીના માત્ર બે સપ્તાહના ટૂંકા ગાળામાં જ રાજ્યમાં કુલ 32 શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેણે આરોગ્ય તંત્ર સહિત વાલીઓની ચિંતામાં પણ ભારે વધારો કર્યો છે.

આરોગ્ય વિભાગને મળેલા રિપોર્ટ મુજબ, કુલ 32 શંકાસ્પદ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 23 દર્દીઓના લેબ ટેસ્ટના પરિણામો સામે આવ્યા છે. આ 23 પૈકી 7 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ૧૬ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ નોંધાયો છે. પોઝિટિવ આવેલા આ સાતેય દર્દીઓની ઉંમર ૧૦ વર્ષથી ઓછી છે, જેમાંથી ૩ બાળકો દમ તોડી ચૂક્યા છે અને ૪ બાળકો લાઈફ સપોર્ટ પર સારવાર હેઠળ છે. હજુ પણ અન્ય 9 શંકાસ્પદ દર્દીઓના સત્તાવાર રિપોર્ટ આવવાના બાકી છે, જ્યારે રાહતની વાત એ છે કે બે બાળકો સંપૂર્ણ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની એક બે વર્ષની બાળકીમાં લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને આરોગ્ય વિભાગની ટીમો સતત કાર્યરત છે. રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાતો માટે એક વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આ લડાઈમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ને પણ જોડવામાં આવ્યું છે. નાના ક્લિનિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરોને કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળકનો સમય બગાડ્યા વિના, પ્રાથમિક સારવાર આપી તુરંત ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વાળી મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે.

સરકારની વાલીઓને અપીલ

આ જીવલેણ વાયરસને આગળ વધતો અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ, સેનિટાઈઝેશન અને જંતુનાશક પાવડરના છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં જે ૬૧ સ્થળો પર આ વાયરસના કેસ જોવા મળ્યા હતા ત્યાં તંત્ર દ્વારા અગાઉથી જ જનજાગૃતિ અને સાવચેતીના પગલાં લેવાઈ ચૂક્યા હોવાથી ત્યાં કોઈ નવો કેસ નોંધાયો નથી, પરંતુ નવા વિસ્તારોમાં સેન્ડફ્લાયનો નાશ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. આ સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવે અને બાળકોમાં તાવ કે ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો જરાય બેદરકારી રાખ્યા વિના તબીબોનો સંપર્ક કરે.

You Might Also Like

ગુજરાતમાં આપના સોશ્યલ મીડિયા પેજ બ્લોક કરવા મામલે કેન્દ્ર સરકારને નોટીસ

વિદ્યાર્થીઓ માટે સોશ્યલ મીડિયા અંગે માર્ગદર્શિકાની તૈયારીઓ

સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ સકંજામાં, જૈશ કનેક્શનની તપાસ

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રૂ.૪૦,૦૦૦ કરોડનું વધારાનું ભારણ

ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?
ગુજરાત

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

Editor By Editor 6 days ago
વિદેશ ભણવા ગયેલા ૬33 ભારતીય વિદ્યાર્થીઓના મોત
વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB
 ૪-૫ ઇંચ વરસાદમાં જ શહેરમાં ૮૭ સ્થળો જળમગ્ન થવાની શકયતા
ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?