ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
નિષ્ણાંત તબીબો દ્વારા ૬૮ દર્દીઓનું નિદાન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ સુપરસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ડો. નરેન્દ્રભાઈ દવે (ટ્રસ્ટી વી.વી.પી. ઈજનેરી કોલેજ સેવા ભારતી તેમજ R.R.S. સૌરાષ્ટ્ર પ્રાંતમાં કાર્યકારીણી સદસ્ય), સંસ્થાના પ્રમુખ વિમલભાઈ ત્રિવેદી, મંત્રી ગૌતમભાઈ ત્રિવેદી, તમામ ડોક્ટર્સ ટીમ અને તમામ હોદેદ્દારઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ નિદાન કેમ્પમાં “ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ” ના પ્રકાશ મોઢાની ખ્યાત નામ ડોક્ટરોની ટીમ જેમાં જનરલ અને ટ્રોમા સર્જન ડો.કૌશિકભાઈ પટેલ, ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.વિષ્ણુભાઈ વંદુર, ઓર્થોપેડીક સર્જન ડો. પૂર્વમભાઈ જીવરાજાની, કીડની રોગના નિષ્ણાંત ડો. વિપુલભાઈ પરમાર, દાંતના સર્જન ડો. તેજસભાઈ ત્રિવેદી, ત્વચા રોગ નિષ્ણાંત ડો. અસ્મીબેન પંડયા, ડાયાબીટસ, થાઈરોડ નિષ્ણાંત ડો. વિવેકભાઈ ત્રિવેદી તથા ડાયાટિશિયન ડો. આકાશભાઈ દવે વગેરે નિ:શુલ્ક નિદાન કરી આપેલ હતું. ૬૮ જ્ઞાતિ જનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધેલ હતો.
આ કાર્યક્રમાં નવીનચંદ્ર દવેના પુત્ર હિરેનભાઈ દવે (ફાર્માનો બિઝનેસમેન)એ આ મેડિકલ કેમ્પમાં ખાસ BMD મશીનની સ્વખર્ચે વ્યવસ્થા કરેલ તેમના દ્વારા મશીન ઓપરેટર કરાવી સેવા આપેલ સાથે દર્દીને દશ દિવસ માટે નિઃશુલ્ક દવા પણ આપવામાં આવેલ. ટ્રસ્ટી પ્રમુખ વિમલભાઈ ત્રિવેદીનો મુખ્ય ફાળો રહેલ.
આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે વડીલ નવીનભાઈ જે દવેની સૂચના માર્ગદર્શન હેઠળ પ્રમુખ ટ્રસ્ટી વિમલભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી ઍડ સંજયભાઇ પંડ્યા તેમજ ડો. જતિનભાઇ ત્રિવેદી, હોદેદાર ગૌતમભાઈ, યતીશભાઈ દવે,કારોબારી સભ્ય પ્રદ્યુમન ભાઇ ભટ્ટ, કમલેશભાઈ દવે, વિમલભાઈ જોષી, જયેશભાઇ ત્રિવેદી, ગૌતમભાઈ ત્રિવેદી હડાળા વાળા, હર્ષાંગભાઈ દવે અને હિતેષભાઇ ત્રિવેદીએ હાજર રહેલ અને સર્વે કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.


