By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ આપતી પ્રબોધિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ આપતી પ્રબોધિની એકાદશી

agragujaratnews
Last updated: 2024/11/07 at 6:31 AM
2 years ago
Share
હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ આપતી પ્રબોધિની એકાદશી
SHARE

નારદજીએ બ્રહ્માજીને કહ્યું, `હે પિતામહ! પાપનાશિની, પુણ્યકારક અને મોક્ષદાતા પ્રબોધિની એકાદશીનું માહાત્મ્ય મને કહો.’

`હે મુનિવર્ય! જ્યાં સુધી પ્રબોધિની એકાદશીનો પ્રારંભ ન થયો હોય ત્યાં સુધી ગંગા, સમુદ્ર, જળાશયો તેમજ તીર્થસ્થાનો ગર્જના કરે છે, જ્યારે પ્રબોધિની એકાદશીનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ગંગા વગેરે તીર્થો કોલાહલ કરતાં શાંત થાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું અને સો રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.’

નારદજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, `હે ચતુરાનન! આ દિવસે ઉપવાસ કે એકટાણું કરવાથી શું ફળ મળે?’

`હે નારદ! એકટાણું કરવાથી એક જન્મનાં પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મનાં પાપ નાશ પામે છે. મેરુ અને મંદાર પર્વતસમાન પાપોનો પણ આ એકાદશીનું વ્રત કરવાથી નાશ થાય છે. રાત્રિ જાગરણ અને ભજન-કીર્તન કરવાથી પૂર્વ જન્મોનાં પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે. વ્રત વિધિ-વિધાન સહિત એકાદશી કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ વિધિરહિત વ્રતનું ફળ મળતું નથી. દુરાચારી વ્યક્તિને આ વ્રતનું કે યજ્ઞયજ્ઞાદિ ક્રિયાઓનું ફળ મળતું નથી. વિધિપૂર્વક વ્રત કરનારનું, રાત્રે જાગરણ કરનારનું, વાજિંત્ર સહિત ભજન-કીર્તન કરનારનું આત્યંતિક કલ્યાણ થાય છે અને તેની એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે. ‘

નારદજીએ પુનઃ પ્રશ્ન કર્યો કે, `હે પિતામહ! હું પ્રબોધિની એકાદશીનું વ્રત કરવા ઇચ્છું છું, માટે મને માસની એકાદશીનું વ્રત વિધિવિધાન વિગતે કહો.’

બ્રહ્માજીએ કહ્યું કે, `આ પરમ પવિત્ર દિવસે છેલ્લી પાંચ ઘડીઓ બાકી હોય ત્યારે ઊઠી જઈને નદી કે તળાવે જઈને શૌચક્રિયાથી પરવારી, દાતણ કરી, સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરવાં. ઘેર આવી ઇષ્ટદેવનું પૂજન કરી એકાદશીની કથા સાંભળવી. રાત્રે જાગરણ કરવું, ઓચ્છવ કીર્તન કરવાં અને ફૂલ, ફળ, કપૂર, કેસર, ધૂપ, દીપ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી. કારતક માસમાં જે વ્રતધારી બીલીપત્રથી શ્રદ્ધાપૂર્વક અર્ચન-પૂજન કરે છે, તે મોક્ષનો અધિકારી બને છે. તુલસીપૂજન તથા તુલસી રોપવાનો મહિમા કારતક માસમાં વિશેષ છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક રૂપે દરેક ઘેર આપણે તુલસીક્યારો નિહાળીએ છીએ. તુલસીનો મહિમા પણ બીલીપત્રની માફક અપરંપાર છે. તુલસી રોપણ કરનાર હજારો કલ્પ સુધી કુટુંબીઓ સહિત સ્વર્ગલોકને પામે છે. વશી, અશોક, કરેણ, મંજરી, કદંબ, બકુલ વગેરેનાં પુષ્પોથી ભગવાન પુરુષોત્તમનું પૂજન કરનાર અક્ષય સુખ પામે છે.

દ્વાદશી(બારસ)ના દિવસે જળાશયે જઈ સ્નાન કરીને ઘેર આવી પૂજા કરવી અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા. ચાતુર્માસ દરમિયાન જે પદાર્થો વર્જ્ય ગણ્યા હોય તે દાનમાં આપવા અને સંકલ્પ મુકાવી વ્રત પરિપૂર્ણ કરવું. આ વ્રતકથાનું વાંચન કરનાર કે શ્રવણ કરનારને ગૌદાનના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને વ્રતધારી વૈકુંઠનો અધિકારી બને છે. આ પ્રકારે જ મનુષ્ય ચાતુર્માસ વ્રત વિના વિઘ્ને પરિપૂર્ણ કરે છે. તે કૃતાર્થ બને છે અને તેને ફરી જન્મ ધારણ કરવો પડતો નથી. સ્કંદપુરાણમાં પ્રબોધિની એકાદશીનો મહિમા વિસ્તૃતપણે વર્ણવવામાં આવ્યો છે. બિલ્વપત્રોથી ભગવાન વિષ્ણુની પૂજાનો અને નવ પ્રકારે તુલસીની ભક્તિનો મહિમા પણ તેમાં દર્શાવ્યો છે.’

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
ગાંધીનગર

ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું

Editor By Editor 18 hours ago
પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
પેપર લીક કૌભાંડમાં NTAની નનામી કાઢતું NSUI, પોલીસે ટીંગાટોળી કરી
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?