By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 hour ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 day ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો

Editor
Last updated: 2026/07/22 at 3:54 PM
9 minutes ago
Share
બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો
SHARE

બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો

શાપરમાં છાતીના દુઃખાવાથી કંટાળેલા યુવાને ઝેર પીધું, શહેરમાં કોન્ટ્રાક્ટર, વિદ્યાર્થિની અને નવપરિણીતાએ પણ જીવન ટૂંકાવ્યું

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં આપઘાતના ચાર બનાવો સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. શાપર-વેરાવળમાં લાંબા સમયથી છાતીના દુઃખાવાથી પરેશાન યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે શહેરમાં એક યુવા કોન્ટ્રાક્ટર ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. ઉપરાંત ધોરણ-8માં અભ્યાસ કરતી સગીરાનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મોત થયું છે અને છ મહિના પહેલાં જ લગ્ન કરનારી પરિણીતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચારેય બનાવોમાં પોલીસે અલગ-અલગ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શાપર-વેરાવળના ભૂમિ ગેટ વિસ્તારની પંચશીલ શેરીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના નવી હડીયાદ ગામના 37 વર્ષીય અશોકભાઈ ગોવિંદભાઈ વાળા છેલ્લા બે વર્ષથી પરિવાર સાથે શાપરમાં રહેતા હતા અને રાજકોટમાં હીરા ઘસવાની મજૂરી કરતા હતા. છેલ્લા પાંચેક મહિનાથી તેમને છાતીમાં સતત દુઃખાવો રહેતો હતો અને સારવાર ચાલુ હોવા છતાં રાહત ન મળતાં માનસિક રીતે કંટાળી જઈ તેમણે ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા અશોકભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બે સંતાનના પિતાના અવસાનથી પરિવારમાં શોક છવાયો છે. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેરના પટેલનગર મેઈન રોડ નજીક ઓમનગર વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પાર્થ ભગવાનજીભાઈ પિત્રોડા, જે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેઓ પોતાના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બે-ત્રણ દિવસ પહેલાં તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પાર્થ ચાર બહેનોના એકમાત્ર ભાઈ હતા અને ગૃહકલેશને કારણે પત્ની છેલ્લા ચાર વર્ષથી પિયરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
ત્રીજા બનાવમાં શિવનગરમાં રહેતી 15 વર્ષીય કોમલ વિરમભાઈ ગમારા, જે ધોરણ-8માં અભ્યાસ કરતી હતી, તેણે 9 જુલાઈના રોજ એસિડ પી લીધું હતું. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ શાળા જતી વખતે ઘરકામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા તેણીને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય રૂમીના સલીમભાઈ બાવનકાએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. રૂમીનાના લગ્નને હજુ છ મહિના જ થયા હતા અને તે પતિ તથા સાસુ સાથે રહેતી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આપઘાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ બન્યું નથી અને બી-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
ચારેય બનાવોમાં પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પરિવારજનોના નિવેદનો તથા અન્ય પુરાવાના આધારે આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

You Might Also Like

વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

બાડમેરથી એમડી ડ્રગ્સ લાવતા બે પેડલરને SOG એ બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપ્યા

ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ

5 લાખથી વધુના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર

વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીટ યુજી ૨૦૨૬માં ટોપ-૨૦ ફિમેલમાં સ્થાન મેળવતી હિયા વસાવડા
રાજકોટ

નીટ યુજી ૨૦૨૬માં ટોપ-૨૦ ફિમેલમાં સ્થાન મેળવતી હિયા વસાવડા

Editor By Editor 4 days ago
વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ
ધોધમાર વરસાદ અને મનમોહક વાતાવરણનો આનંદ માણવા સાપુતારામાં પ્રવાસી ઉમટ્યા
મેટોડા GIDCમાં ફેક્ટરીની ઓરડીમાંથી 597 ગ્રામ ગાંજો ઝડપાયો, મધ્યપ્રદેશના બે શ્રમિકો સકંજામાં
જૈન વિઝન દ્વારા જનપ્રતિનિધિ અને ઉદ્ઘોષકોનું વિશેષ સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?